________________
સાંભળતાં જ વાક્ષિતરાજનો વ્યામોહ ભંગ થઈ ગયો. તેમણે બપ્પભટ્ટી પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી.
બપ્પભટ્ટીના તમામ શંકાઓના નિવારણ તેમજ અંતરસ્તલસ્પર્શી ઉપદેશથી વાક્ષિતરાજના અંતઃકરણમાં વ્યાપેલ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થઈ ગયો. તેમણે બપ્પભટ્ટીને કહ્યું : “ભગવન્ ! સૌપ્રથમ મને શ્રમણધર્મની દીક્ષા આપો.''
બપ્પભટ્ટીએ વાતિરાજને વિધિવત્ શ્રમણધર્મની દીક્ષા આપી. શ્રમણધર્મ અંગીકાર કર્યા પછી વા૫તિરાજ વિશુદ્ધધર્મના પરિપાલનની સાથે-સાથે પંચ પરમેષ્ઠીની આરાધના કરતા-કરતા કર્મવિકારને નષ્ટ કરવામાં તત્પર થઈ ગયા. મુનિ વાતિરાજે બધાં પાપોની આલોચના કરી અનશનવ્રત અંગીકાર કર્યું અને અઢાર દિવસો સુધી નિરંતર આત્મવિશુદ્ધિ કરતા-કરતા સ્વર્ગે સિધાવ્યા.
મુનિ વાતિરાજના સ્વર્ગસ્થ થયા બાદ આચાર્ય બપ્પભટ્ટી થોડા દિવસો સુધી ગોકુળમાં રોકાયા અને પછી કાન્યકુબ્જ પાછા ફર્યા. આમરાજે તેમની ભૂરિ-ભૂરિ પ્રશંસા કરતાં કહ્યું : “આચાર્યદેવ ! આપની વાણીમાં અમોઘ શક્તિ છે. વાતિરાજ જેવા ઉચ્ચ કોટિના વિદ્વાનને પણ આપે જૈન બનાવીને શ્રમણધર્મમાં દીક્ષિત કરી લીધા.’
બપ્પભટ્ટીએ કહ્યું : “રાજન્ ! હું મારી વાણીની શક્તિને ત્યારે અમોધ સમજું, જ્યારે કે તમે પ્રબુદ્ધ થઈ જૈન ધર્મ સ્વીકાર કરો.”
આથી આમરાજે કહ્યું : “ભગવન્ ! વસ્તુતઃ હું જૈન ધર્મથી પૂર્ણપણે પ્રભાવિત થયો છું, પરંતુ મારા પૂર્વજન્મના સંસ્કારોના કારણે મને શૈવ ધર્મ ખૂબ પ્રિય છે, માટે હું તેનો પરિત્યાગ નથી કરી શકતો.’’
સભાસદોની આગ્રહભરી વિનંતીથી બપ્પભટ્ટી સૂરિએ જણાવ્યું કે - “પૂર્વજન્મમાં આમરાજ એક સંન્યાસી હતા. તે જન્મમાં અજ્ઞાનતપ કરતા-કરતા ઘોર કષ્ટ સહન કરવાના ફળ સ્વરૂપ તેમને આ રાજ્ય મળ્યું.”
સમય જતાં આમરાજે પોતાની વિશાળ ચતુરંગિણી સેના લઈને રાજગિરિ રાજ્ય પર આક્રમણ કર્યું. આમરાજની સેના સામે પોતાની સૈનિક શક્તિને અપૂરતી જાણીને દિવસભરના ભીષણ નરસંહારકારી ૧૬૬ |૩૭૭ ઊજી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)