________________
પ્રબંધકવિ વાક્પતિરાજે સૈનિક કારાવાસમાં રહેતા “ગૌડવો’ નામક એક શ્રેષ્ઠ કાવ્યની રચના કરી, જેનાથી આમરાજ તેમના પર ખૂબ પ્રસન્ન થયો અને તેમને કારાવાસમાંથી મુક્ત કરી પોતાની રાજસભાના સભ્ય બનાવી દીધા. રાજકવિના રૂપમાં રહીને વા૫તિરાજે આમરાજની યશોગાથાઓના અનેક ચમત્કારી શ્લોક બનાવ્યા અને “મહુમતવિજય' નામના એક ગ્રંથની પણ રચના કરી. આમરાજે પ્રસન્ન થઈને દર વર્ષે બે લાખ સુવર્ણમુદ્રાઓની આવકવાળી જાગીર વાકપતિરાજને આપી.
રાજા આમ ન્યાયનીતિપૂર્વક પ્રજાનું પાલન ને આચાર્ય બપ્પભટ્ટીનાં ઉપદેશાનુસાર અનેક પ્રભાવશાળી કાર્યોથી સદ્ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા લાગ્યો. આ બાજુ વાક્ષતિરાજને સંસારથી પૂર્ણપણે વિરક્તિ થઈ ગઈ હતી. તેઓ આમરાજની અનુમતિ લઈ મથુરા ચાલ્યા ગયા અને ત્યાં સંન્યાસ ગ્રહણ કરી પોતાના ઈષ્ટની ઉપાસના કરવા લાગ્યા. . સમય જતાં એક દિવસ ધર્મોપદેશ આપતી વખતે બપ્પભટ્ટીએ જુદા-જુદા ધર્મો સંબંધમાં તુલનાત્મક દૃષ્ટિથી વિવરણ પ્રસ્તુત કરતાં કહ્યું કે - “વિશ્વના બધા ધમોંમાં જૈન ધર્મ માખણ (નવનીત) સમાન સારભૂત અને ઉત્તમ છે.” તેમણે રાજા આમને સલાહ આપતા કહ્યું: “પરીક્ષાપૂર્વક તમે જૈન ધર્મને વિધિવત્ અંગીકાર કરી લો.”
આમરાજાએ કહ્યું: “મહાત્મન્ ! આમ તો હું બધી પરીક્ષા પછી જૈન ધર્મને જ માનું છું, પણ મારું મન શૈવ ધર્મમાં અનુરક્ત છે. આપ મને બીજા કોઈ પણ કામ માટે કહી દો, પરંતુ મારા પૈતૃક શૈવ ધર્મને. “છોડવાનું કૃપા કરીને ના કહેશો.” પછી આમરાજે આગળ કહ્યું: “ભગવન્! મથુરાના વરાહ મંદિરમાં વાક્યતિરાજ સંન્યાસી બનીને પુરાણ પુરુષોત્તમ પરબ્રહ્મની નાસાગ્ર દૃષ્ટિ કરી એકાગ્ર ચિત્તે આરાધના કરી રહ્યા છે તેમને આપ જૈન ધર્મ અંગીકાર કરાવી દો.”
રાજા આમની વાત સાંભળી બપ્પભટ્ટી તરત જ મથુરા જવા માટે તત્પર થઈ ગયા અને વિહાર કરીને એક દિવસ મથુરા પહોંચી ગયા. બપ્પભટ્ટીએ ત્યાં વાક્ષતિરાજને જૈન ધર્મના સારભૂત મૌલિક સિદ્ધાંતોનો બોધ આપ્યો. બપ્પભટ્ટીના મુખેથી સારભૂત તાત્ત્વિક વાત જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 96969696969696969696969 ૧૫]