________________
અમાત્ય પાસેથી આચાર્ય બપ્પભટ્ટીના મૌખિક ને લેખિત સંદેશ મેળવી મહારાજ આમ, બપ્પભટ્ટીની સેવામાં હાજર થવા માટે આતુર થઈ ગયા. ગૌડેશ સાથે કાન્યકુબ્રેશ્વરની ગાઢ શત્રુતા હતી, તેમ છતાંય પોતાના શ્રદ્ધેય બપ્પભટ્ટીને કનૌજ પાછા લાવવા માટે પોતાના પ્રાણોનો મોહ છોડીને આમરાજ ગુપ્તવેશમાં પહેલા બપ્પભટ્ટીની સેવામાં ને ત્યાર બાદ તેમની સાથે રાજા ધર્મની રાજસભામાં ધર્મરાજ સમક્ષ પણ ઉપસ્થિત થયા.
બપ્પભટ્ટીએ અનેક અર્થવાળા ગૂઢ અને અભુત શ્લેષપૂર્ણ શબ્દોમાં મહારાજા ધર્મને આમરાજનો પરિચય આપ્યો. આમરાજે પણ તેવી જ દ્વિઅર્થી, અતિગૂઢ શૈલીમાં ગુપ્તરૂપે પોતાનો વાસ્તવિક પરિચય આપતાઆપતા બપ્પભટ્ટીને કાન્યકુબ્ધ લઈ જવાની પોતાની સૂચના ખૂબ જ નાટ્યાત્મક ઢબથી મહારાજા ધર્મ સમક્ષ રજૂ કરી દીધી. - આ બધું એવા નાટ્યાત્મક ઢંગે અને અભુત રીતે કરવામાં આવ્યું હતું કે, રાજા આમ અને બપ્પભટ્ટી સિવાય બીજા કોઈને સહેજ પણ જાણ થવી તો દૂર, લેશમાત્ર આભાસ પણ ન થઈ શક્યો કે કનૌજનો મહારાજા આમ, ગૌડ રાજ્યાધીશ મહારાજા ધર્મની સમક્ષ સ્વયં પોતે ઉપસ્થિત થયો છે અને તેણે આચાર્ય બપ્પભટ્ટીને કાન્યકુન્જ લઈ જવાના સંદર્ભે મહારાજા ધર્મને પોતાની સૂચના રજૂ કરી દીધી છે.
બીજા દિવસે સવારમાં આચાર્ય બપ્પભટ્ટીએ ધર્મરાજ પાસે જઈને કહ્યું: “રાજન્ ! હવે હું કન્નૌજ જવા માટે સમુદ્યત (મુક્ત) છું.”
રાજા ધર્મે આશ્ચર્ય સાથે આચાર્યશ્રીની તરફ જોતા-જોતાં કહ્યું : “ભગવન્! શું આપ આપનું વચન પૂરું કર્યા વગર જ જઈ રહ્યા છો?”
આચાર્ય બબ્બે કહ્યું : “રાજન્ ! ગઈકાલે સ્વયં આમરાજ જાતે આપની રાજસભામાં આપની સમક્ષ ઉપસ્થિત થઈને, મને કન્નોજ લઈ જવાના સંબંધમાં આપને સૂચના આપી હતી. ગઈકાલે જે દૂત આપની સમક્ષ રાજસભામાં ઉપસ્થિત થયો, તે આમરાજ તો હતો. તેણે મને કાન્યકુબ્બે લઈ જવા માટે આપને નિવેદન પણ કર્યું હતું.”
ધર્મરાજે આમરાજને ન ઓળખી શકવા બદલ ખેદ (રજ) વ્યક્ત કર્યો. આચાર્ય બપ્પભટ્ટીએ મહારાજ ધર્મને સમજાવી-બુઝાવીને આશ્વસ્ત કરી લક્ષણાવતીથી વિહાર કર્યો. ગૌડ રાજ્યની હદની બહાર આમરાજે તેમનું સ્વાગત કર્યું અને કન્નૌજ પાછા ફરવા પર ખૂબ જ ૧૨ 969696969696969696969) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)