________________
પોતાના ધ્યેય પૂરું કરવામાં સફળતા નહિ મળી શકે. પોતાના ધ્યેયપ્રાપ્તિમાં જૈન ધર્મને નડતર સમજીને તેઓએ સૌ પ્રથમ જૈન ધર્મ પર પ્રહાર કરવાનો નિર્ણય કર્યો. પરંતુ મદુરા અને કાંચીના જૈનસંઘ સુગઠિત અને સશક્ત હતા અને તેઓને રાજ્યાશ્રય પણ પ્રાપ્ત હતો. આવી સ્થિતિમાં જૈન ધર્મને કોઈ પણ જાતની હાનિ પહોંચાડવાનું પણ તે સમયે ઘણું કપરું કાર્ય હતું. શૈવસંતોએ તેને સાધ્ય બનાવવા માટે સૌપ્રથમ યેન-કેન પ્રકારે રાજસત્તાને પોતાના પક્ષમાં કરવાનું વિચાર્યું.
મદુરાનરેશ સુંદર પાંચન જૈન-ધર્માવલંબી હતો. પણ તેની રાણી (ચોલરાજપુત્રી) અને પાંચરાજાના પ્રધાનમંત્રી બંને શૈવ હતા. શૈવસંત જ્ઞાનસંબંધરે સુંદર પાંડચની રાણી અને પ્રધાનમંત્રીનો સંપર્ક સાધ્યો. મંત્રણા કરતી વખતે સુંદરપાંડ્યની રાણીએ ઉપાય બતાવતાં કહ્યું : “ગુરુવર, પાંચરાજાની કમરમાં ઘૂબ(કુબડ)ની ગ્રંથિ ઉભરાઈ આવવાને કારણે તે બેડોળ થઈ ગયા છે. તેઓની કમર પૂરી વળી ગઈ છે. આ કારણે તેઓ સદા ચિંતાતુર અને દુઃખી રહે છે. જો તમે કોઈ ઔષધ-ઉપચાર અથવા મંત્ર-તંત્રના ચમત્કારથી તેઓની કમર સીધી કરી શકો તો આપનું ઇચ્છિત કાર્ય સિદ્ધ થઈ શકે છે.”
જ્ઞાનસંબંધરે કહ્યું : “મને વિશ્વાસ છે કે, ભગવાન શંકરની કૃપા પ્રસાદથી હું આ કામ કરી શકીશ.’ રાણીએ સહર્ષ કહ્યું : “ગુરુવર ! તો સમજી લો કે આપનું કામ સિદ્ધ થઈ ગયું.''
થોડા ક્ષણ વિચારમગ્ન રહ્યાં પછી પાંચ રાજરાણીએ કહ્યું : “મારા મગજમાં એક મોટી સુંદર યોજના આવી છે. હું આજે જ મહારાજાને વિનંતી કરીશ કે - જૈન સાધુઓ ઘણાં જ પહોંચેલા અને અનેક પ્રકારની સિદ્ધિઓથી સંપન્ન હોય છે. એટલે કાલે સવારે તેમને રાજસભામાં બોલાવીને કહેવામાં આવે કે - ‘તેઓ પોતાના તપ-જપ, અદ્ભુત સિદ્ધિઓ અથવા મંત્ર-તંત્ર આદિ ચમત્કારોની શક્તિથી તમારી કમર સીધી કરી આપે.' પરંતુ તે જૈન સાધુ આવા કોઈ ચમત્કાર કરવામાં સફળ થશે નહિ. એનાથી પહેલાં તે જૈનસાધુઓ કંઈ કહે, હું રાજા, રાજસભા અને તે જૈનસાધુઓ સમક્ષ પ્રસ્તાવ મૂકી દઈશ કે - ‘જે ધર્મગુરુ, રાજ-રાજેશ્વર પાંડ્યરાજને આ બીમારીથી છુટકારો અપાવી શકશે તે જ પાંચરાજ તથા તેમની પ્રજાના ધર્મગુરુ અને તેમનો ધર્મ જ બધાનો ધર્મ રહેશે.' પાંડચરાજ પોતાની આ અસાધ્ય જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 33 ૩૩૩ ૧૧૧