________________
વિ. સં. ૬૫૭ થી ૬૮૭ (વી. નિ. સં. ૧૧૨૭ થી ૧૧૫૭) સુધીનો માનવામાં આવે છે.
તિરુજ્ઞાનસંબંધરે સુંદર પાંચને પોતાનો ભક્ત બનાવીને પોતાના નિર્દેશનમાં તેમના આદેશથી સૌ પ્રથમ મદુરાના ૫૦૦૦ જૈન સાધુઓને ઘાણીમાં પિલાવી દીધા. એ જ રીતે તિરુઅપ્પરે કાંચીપતિ પલ્લવરાજ મહેન્દ્રવર્ગન(પ્રથમ)ને પોતાનો દઢ અનુયાયી બનાવી, જૈનોનું સામૂહિક રૂપમાં બળપૂર્વક ધર્મપરિવર્તન કરાવડાવ્યું. શૈવસંત બન્યા પહેલાં તિરુઅપ્પર એક જૈનાચાર્ય અને પાટલીપુરમના જૈન મુનિઓના મઠના પ્રધાન (મુખિયા) પણ હતા. શૈવસંત બન્યા પછી તિરુઅપ્પર જૈન ધર્મ માટે સૌથી વધુ ઘાતક સાબિત થયા.
વિક્રમની સાતમી સદીના પૂર્વાર્ધ સુધી જૈન ધર્મ, તમિલ પ્રદેશનો મુખ્ય, સશક્ત અને બહુજનસંમત ધર્મ રહ્યો. પરંતુ મદુરાના રાજા સુંદર પાંચ અને કાંચીના રાજા પલ્લવરાજ મહેન્દ્રવર્મન(પ્રથમ)ના શાસનકાળમાં તેના પર સંક્ટનાં વાદળ ઘેરાવા લાગ્યાં. દક્ષિણમાં જૈન ધર્મ પર આ એક ઘાતક પ્રહાર હતો. આ પ્રહારથી દક્ષિણમાં જૈન ધર્મની એવી અપૂરણીય ક્ષતિ થઈ કે, જેની પૂર્તિ લગભગ તેર સદીઓના પ્રયત્નો ઉપરાંત પણ આજ સુધી નથી થઈ શકી.
(દક્ષિણમાં જેનો પર સંકટ ) ઈસાની બીજી સદીથી ઈસાની સાતમી સદીના પ્રથમ ચરણ સુધી દક્ષિણમાં જૈન ધર્મનું પૂર્ણ વર્ચસ્વ રહ્યું. “જૈનસંહાર ચરિતમ્” અને પેરિયપુરાણ'ના ઉલ્લેખોથી પણ એ વાતની પુષ્ટિ થાય છે કે - “તમિલ પ્રદેશમાં જ્ઞાનસંબંધર, અપ્પર વગેરે શૈવસંતો દ્વારા શૈવ ધર્મના પ્રચારપ્રસાર અને અભ્યદય માટે શરૂ કરવામાં આવેલ ધર્મક્રાંતિના સમયે પણ જૈન ધર્મ દક્ષિણનો બહુજનસંમત અને સૌથી વધુ વર્ચસ્વવાળો ધર્મ હતો. તે સમયે ઈસાની સાતમી સદીમાં શૈવસંતોએ તમિલનાડુના પાંચ રાજ્યની રાજધાની મદુરા અને પલ્લવ રાજ્યની રાજધાની કાંચીમાં શૈવ ધર્મના પ્રચાર-પ્રસારનું અભિયાન ચલાવ્યું. - શેવસંતોએ અનુભવ કર્યો કે, જ્યાં સુધી જૈન ધર્મના વર્ચસ્વને તેમજ તેની લોકપ્રિયતાને સમાપ્ત નહિ કરી દેવાય ત્યાં સુધી તેઓને ( ૧૧૦ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)