________________
મેળવવા માટે પાડ્યરાજને છાનુસાર
બીમારીથી છુટકારો મેળવવા માટે ખૂબ જ આતુર છે. એટલે તેઓ આ શરત સહર્ષ સ્વીકારી લેશે. આ પ્રમાણે પાંડ્યરાજને શૈવ ધર્માવલંબી બનાવી લીધા પછી સંપૂર્ણ પાંડ્ય દેશમાં તમને ઇચ્છાનુસાર શૈવ ધર્મનો પ્રચાર-પ્રચાર કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી આવશે નહિ? - ' મહારાણીની આ યુક્તિ પોતાના કાર્યસિદ્ધિ માટે અમોઘ ઉપાય સમજીને શૈવસંત જ્ઞાનસંબંધરે કહ્યું: “તમે વિશ્વાસ રાખજો કે, યૌગિક ક્રિયાના માધ્યમથી, હું પાંડ્યરાજને આ અસાધ્ય માનવામાં આવતી બીમારીથી જીવનભર માટે રોગમુક્ત કરી દઈશ.”
રાણીએ ખૂબ ચતુરાઈપૂર્વક પોતાની યોજના મહારાજ સુંદર પાંચ સમક્ષ મૂકી. રાજાએ તરત જ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને સવારના પહોરમાં સંબંધિત અધિકારીઓને, જૈન સાધુઓને સન્માન સાથે રાજસભામાં આમંત્રિત કરવાનો નિર્દેશ આપ્યો. બીજા દિવસે સવારે રાજસભામાં જેનસાધુ ઉપસ્થિત થયા. મહામંત્રીએ તેમને પ્રાર્થના કરી કે - “તેઓ તેમના વિશિષ્ટ વિજ્ઞાન અને વિદ્યાબળથી પાંડચરાજનો રોગ જડમૂળથી મિટાવી આપે.”
મહારાણીએ પણ જૈનમુનિઓને પ્રાર્થના કરી: “ભગવન, તમે અમારા રાજગુરુ છો. મહારાજને રોગમુક્ત કરવાના પ્રયાસમાં કોઈ કમી ન રહી જાય, એટલા માટે અમે બધાએ અને સ્વયં પાંડ્યરાજની તરફથી એ શરત રાખવામાં આવી છે કે - “જે ધર્મગુરુ પાંડ્યરાજને આ રોગથી મુકત કરી નાખશે તે જ આગળ જતાં રાજગુરુનું પદ સુશોભિત કરશે.' તમે પહેલેથી જ રાજગુરુ છો, માટે સૌ પ્રથમ આ તક તમને આપવામાં આવે છે. આપના અસફળ થવાથી, બીજાઓને અવસર (તક) આપવામાં આવશે.”
પેરિયપુરાણ'ના ઉલ્લેખો અનુસાર સૌથી પહેલા જૈન સાધુઓએ પાંડ્યરાજને રોગમુકત કરવા માટે મંત્ર-તંત્ર આદિ દરેક પ્રકારના ઉપચારોનો પ્રયોગ કર્યા, પરંતુ તેમને સફળતા મળી નહિ. છેવટે શૈવસંત જ્ઞાનસંબંધરને આમંત્રિત કરવામાં આવ્યા અને શરત બતાવી દીધા પછી તેમને પણ વિનંતી કરવામાં આવી કે - “તેઓ તેમની અલૌકિક શક્તિ વડે પાંડ્યરાજને તેમની અસાધ્ય બીમારીથી મુક્તિ અપાવે.”
જ્ઞાનસંબંધરે આપુતોષ શંકરનું ધ્યાન કરતાં-કરતાં રાજાને રોગમુકત કરવાના પ્રયાસ આરંભ્યા. બધાની આંખો સામે, રાજાની નમી ( ૧૧૨ 36369696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)