________________
હેતુથી મુનિ મલ્લ વલ્લભી તરફ પ્રસ્થિત થયા. વલ્લભીની રાજસભામાં શીલાદિત્યની સમક્ષ બૌદ્ધોની સાથે છ માસ સુધી શાસ્ત્રાર્થ કરીને તેમણે વિદ્વાન બૌદ્ધ ભિક્ષુ બુદ્ધાનંદને પરાજિત કર્યા. મુનિ મલ્લને વિજયી ઘોષિત કરવામાં આવ્યા. બૌદ્ધાચાર્ય પોતાની હારના શોકને સહન ન કરી શક્યા અને શોકાતિરેકથી તેમનો દેહાંત થઈ ગયો.
મહારાજ શીલાદિત્યએ વિજયી મેલ્યવાદી મહામુનિને પોતાના ગુરુ બનાવ્યા અને બૌદ્ધ ભિક્ષુઓને શાસ્ત્રાર્થની શરત પૂરી કરવા માટે વલ્લભી રાજ્યથી નિર્વાસિત કરવાનો આદેશ આપ્યો. એ જ સમયે શીલાદિત્યએ વલ્લભી રાજ્યમાં જૈન સાધુ-સાધ્વીઓને યથેષ્ઠ વિહારની છૂટ આપતા પોતાના અમાત્યોને આદેશ આપ્યો કે - “તે અન્ય રાજ્યોમાં વિચરણ કરવાવાળા જૈન સાધુઓને વલ્લભી રાજ્યમાં વિચરણ કરવા માટે પ્રાર્થના કરે.” શત્રુંજયતીર્થ ફરીથી જૈનસંઘના તાબામાં આપવામાં આવ્યો.
આ રીતે મહાન પ્રભાવક મહાવાદી મલ્લમુનિના પ્રયત્નોથી ફરીથી જૈન સાધુ-સાધ્વી ગણ વલ્લભી રાજ્યમાં યથેચ્છ સર્વત્ર વિચરણ કરી ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા લાગ્યા. મલવાદીના આચાર્યકાળમાં જૈન ધર્મની ઉલ્લેખનીય પ્રગતિ થઈ. એમણે વલ્લભી રાજ્યમાં લુપ્ત થતાં જૈનસંઘને ફરીથી જીવિત કર્યો. આ ધર્મ પ્રભાવનાનો તમામ શ્રેય મલ્લવાદીને જ પ્રાપ્ત થાય છે. આ રીતે યુગપ્રધાનાચાર્ય હારિલના વી. નિ. સં. ૧૦૦૦ થી ૧૦૫૫ સુધીના યુગપ્રધાનાચાર્યકાળમાં આચાર્ય મલવાદી વિક્રમની છઠ્ઠી સદી(વી. નિ. ની અગિયારમી)ના મહાન પ્રભાવક આચાર્ય થયા છે.
વાવ થયા છે.
(હારિલના સમકાલીન પ્રમુખ ગ્રંથકાર) ૧. મલ્લવાદી : આચાર્ય મલ્લવાદીનો પરિચય આપી દેવામાં
આવેલ છે. ૨. ચંદ્રર્ષિ મહત્તર : એમણે પંચસંગ્રહ (ટીકા સહિત) નામના - કર્મગ્રંથના પ્રકરણની રચના કરી. 3. સંઘદાસગણિ વાચક કથા સાહિત્યની પ્રાચીનતમ કૃતિ “વસુદેવહિંડી
ના રચનાકાર સંઘદાસગણિ વાચક અને ધર્મસેનગણિનું નામ શ્રુત સાધકોમાં માનથી લેવામાં આવે છે. આ ગ્રંથમાં શ્રીકૃષ્ણના ૯૪ ઉ9696969696969696969 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)