________________
જ્ઞાતાધર્મકથાંગના પાંચમા સૂત્રના પૂર્વ ભાગમાં મહાબળ દ્વારા સ્ત્રી નામ-કર્મ ઉપાર્જન કર્યા પછી એના ઉત્તર ભાગમાં વીસ બોલોની ઉત્કૃષ્ટ આરાધનાથી તીર્થકર નામનોત્રકર્મને ઉપાર્જિત કરવામાં આવેલાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. એનાથી સ્પષ્ટતઃ એ જ સિદ્ધ થાય છે કે મહાબળે સંયમ ગ્રહણ કર્યા બાદ સાધનાની પ્રારંભિક અવધિમાં પહેલા સ્ત્રી નામ-કર્મનું ઉપાર્જન કરેલું, ત્યાર બાદ સાધનાપથ પર ઉત્તરોત્તર અગ્રેસર થતા-થતા વીસ-વીસ બોલોની આરાધનાથી તીર્થકર નામ-કર્મનું ઉપાર્જન કર્યું. આ માન્યતાનું પહેલું કારણ એ છે કે મૂળપાઠમાં આ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ છે અને શાસ્ત્રનો મૂળપાઠ હંમેશાં સર્વાધિક પ્રામાણિક માનવામાં આવે છે. બીજું કારણ એ છે કે મહાબળે જે સાધનાથી તીર્થકર નામ-કર્મનું ઉપાર્જન કરેલું તે અત્યુત્કટ સાધના હતી. શાસ્ત્રમાં વર્ણિત વીસ બોલોમાંથી કોઈ એક બોલની ઉત્કટ આરાધનાથી સાધક તીર્થકર નામગોત્ર-કર્મનું ઉપાર્જન કરી લે છે. આવી સ્થિતિમાં વીસ-વીસ બોલોની ઉત્કટ સાધના કર્યા પછી મહાબળનું સમ્યકત્વ આકાંક્ષા દોષથી દૂષિત થઈ મિથ્યાત્વ અથવા સાસ્વાદનની ધરાતળે પહોંચી ગયો હોય, એ વાત ન તો બુદ્ધિસંગત પ્રતીત થાય છે અને નહિ યુક્તિસંગત. આ બધાં તથ્યોમાંથી એ જ નિષ્કર્ષ નીકળે છે કે મહાબળ મુનિએ તીર્થકર નામ-ગોત્રકર્મના ઉપાર્જનના પૂર્વે જ સ્ત્રી નામ-ગોત્ર-કર્મનું ઉપાર્જન
કરી લીધું હતું. શંકા-૫.
અંતિમ તેમજ પાંચમી શંકામાં એવું કહેવામાં આવ્યું છે કે ત્રણ સંઘાટકોમાં ભિક્ષાર્થ દેવકીને ત્યાં આવેલા છે મુનિઓનો વાસ્તવિક પરિચય દેવકીને ભગવાન અરિષ્ટનેમિના સમવસરણમાં સ્વયં પ્રભુ પાસેથી પ્રાપ્ત થયો હતો. પરંતુ પ્રથમ ભાગમાં “ચઉપન્ન મહાપુરિસ ચરિય'ના
ઉલ્લેખાનુસાર એ છએ છ મુનિઓ દ્વારા સ્વયં દેવકીને જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) [96969696969696969696969 ૧૩ |