SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ વતીયખડ એજ પ્રમાણે બાદર-અપર્યાપ્ત એકે, ને પણ સામાન્યથી પાંચ, ઉદયસ્થાન ગુણિત ૧૦, અને ઉદયભંગગુણિત ૧૫ સત્તાસ્થાને થાય. અપર્યાપ્ત-બેઈ. આદિ ૩ જીવસ્થાનકોમાં પણ સામાન્યથી આ પાંચ અને ઉદય સ્થાનગુણિત તેમજ ઉદયભંગગુણિત પણ દસ-દસ સત્તાસ્થાને હોય છે. અપર્યાપ્ત અસંશો પંચે. ને પણ સામાન્યથી આ પાંચ અને બંને ઉદયસ્થાને પાંચ-પાંચ માટે ઉદયસ્થાનગુણિત ૧૦, અને જે ઉદયભંગવાર વિચારીએ તે ૨૧ના ઉદયે તિર્યંચના ૧ ભાંગામાં પાંચ અને મનુષ્યના ૧ માં ૭૮ વિના ચાર એમ નવ; એજ પ્રમાણે ૨૬ના ઉદયે પણ નવ, કુવા ઉદયભંગગુણિત સત્તાસ્થાને ૧૮ થાય એ જ પ્રમાણે અપર્યાપ્ત સંજ્ઞી પંચે. ને પણ સામાન્યથી પાંચ, ઉદયસ્થાનગુણિત ૧૦ અને ઉદયભંગ ગુણિત ૧૮ સત્તાસ્થાને થાય. બંધભંગયુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને જે બંધસ્થાનના જેટલા ભાંગા હેય તેની સાથે ઉદયભંગગુણિત સત્તાસ્થાનોને ગુણવાથી પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે સામાન્ય સંધમાં બતાવેલ છે તે પ્રમાણે અહીં પણ પિતાની મેળે જ વિચારવાં. સૂલમ પર્યાપ્ત એકે. ને પણ પ્રથમની જેમ ૨૩ આદિ પાંચ બંધસ્થાને અને કુલ બંધ ભાંગા તેર હજાર નવસે સત્તર હોય છે. અહિં ઉદયસ્થાન ૨૧, ૨૪, ૨૫ અને ૨૬ આ જ હોય છે. ત્યાં ૨૧ ના ઉદયે સૂક્ષમ પર્યાપ્ત અયશને ૧, ૨૪ના ઉદયે સૂમ પર્યાપ્ત પ્રત્યેક અને સાધારણ સાથે અયશના બે, એ જ પ્રમાણે ૨૫ અને ૨૬ ના ઉદયના પણ બે-બે, કુલ ચારે ઉદયસ્થાને મળી સાત ઉદયભાંગા હેય છે, અહિં પણ ૨૩ આદિ પાંચે બંધસ્થાનમાં પહેલાંની જેમ સામાન્યથી ૯૨ આદિ પાંચ અને ચારે ઉદયસ્થાનમાં પાંચ પાંચ હેવાથી ઉલયસ્થાનગુણિત સત્તાસ્થાને ૨૦ હેય છે. ઉદયભંગવાર વિચારીએ તે ૨૧ ના ઉદયના ૧ માં પાંચ, ૨૪ ના ઉઢયના બને ભાંગાઓમાં પાંચ-પાંચ માટે ૧૦, શરીર પર્યાપ્તએ પર્યાપ્ત થયા બાદ ૭૮નું સત્તાસ્થાન તેઉકાય અને વાયુકાયમાં જ ઘટે છે. પણ અન્ય છમાં ઘટતું નથી. તેમજ તેઉકાય અને વાયુકાયને સાધારણને ઉદય હેતું નથી. માટે ૨૫ ના સૂફમપર્યાપ્ત પ્રત્યેક ના ૧ માં પાંચ અને સૂમિ પર્યાપ્ત સાધારણના ૧ માં ૭૮ વિના ચાર, એમ નવ. એજ પ્રમાણે રહના ઉદયે પણ નવ. એમ ઉદયભંગગુણિત સર્વ સત્તાસ્થાને ૩૩ થાય છે. બાદર પર્યાપ્ત એકે, ને પણ પહેલાની જેમ ૨૩ આદિ પાંચ બંધસ્થાને અને તેર હજાર નવસે સત્તર બંધ ભાંગા હોય છે. તેઓને આતપ અથવા ઉદ્યોતના ઉદયને પણ સંભવ છે. તેથી ૨૧ આદિ ચાર ઉપરાંત ર૭નું ઉદયસ્થાન અધિક હોવાથી કુલ પાંચ ઉદયસ્થાને હાય છે.
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy