SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તતિકા ટીકાનુવાદ સત્તાનો કાળ : નવની સત્તા અભવ્યને અનાદિ-અનન્ત અને ભવ્યને અનાદિ-સાન્ત કાળ છે. છની સત્તા ક્ષપકશ્રેણીમાં જ હેવાથી અને સકલશ્રેણીને કાળ પણ અન્તમુહૂર્ત હેવાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બંને રીતે અન્તર્મુહૂર્ત તેમજ ચારની સત્તા બારમાના ચરમ સમયે હેવાથી તેને જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળપણ એક સમય પ્રમાણ હોય છે. | સંવેધ (1) નવને બંધ-ચારને ઉદય અને નવની સત્તા (૨) નવને બંધપાંચના ઉદય અને નવની સત્તા આ બે પ્રથમના બે ગુરુસ્થાનક સુધી હોય છે. પછી થીણુદ્વિત્રિકને બંધ ન હોવાથી ત્રીજાથી આઠમાના પહેલા ભાગ સુધી (૩-૪) છને બંધચાર-કે પાંચને ઉદય નવની સત્તા, આ બે સંવેધ અને નિદ્રાદિકના બંધ વિચ્છેદ પછી ઉપશમશ્રેણીમાં દસમા સુધી અને ક્ષપકશ્રેણીમાં નવમાના પહેલા ભાગ સુધી (૫) ચારને . બંધ-ચારને ઉદય અને નવની સત્તા તેમજ ઉપશમ-શ્રેણીમાં નિદ્રાને ઉદય હોય ત્યારે ચારને બંધ-પાંચને ઉદય-નવની સત્તા આ બે અને ક્ષપકશ્રેણીમાં થીણદ્વિત્રિકને ક્ષય થયા બાદ નવમાના બીજા ભાગથી દશમા સુધી (૭) ચારને બંધ ચારને ઉદય અને છની સત્તા તેમજ અગ્યારમાં ગુણસ્થાનકે બંધના અભાવે (૮) ચારને ઉદય અને નવની સત્તા (૯) પાંચને ઉદય-નવની સત્તા આ બે અને બારમા ગુણસ્થાનકના ઉપાલ્ય સમય સુધી બંધના અભાવે (૧૦) ચારને ઉદય, છની સત્તા તેમજ છેલ્લા સમયે (૧૧) ચારને ઉદય અને ચારની સત્તા એમ મૂળ મતે કુલ અગ્યાર સંવેધ અને ક્ષપકશ્રેણીમાં નિદ્રાને ઉદય માને છે તે મહર્ષિઓના મતે (૧) ચારને બંધ, પાંચને ઉદય અને છની સત્તા તેમજ બંધના અભાવે બારમે પણ (૨) પાંચને ઉદય અને છની સત્તા આ બે સંવેધ વધારે હોવાથી કુલ તેર સંવેધ ભાંગા છે. કાળ:- અબંધ, ચારને ઉદય અને ચારની સત્તા બારમાના ચરમ સમયે જ હેવાથી તેને જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને રીતે કાળ એક જ સમય તેમજ ક્ષપકશ્રેણીમાં જીવ કાળ કરતું ન હોવાથી ક્ષપકશ્રેણીમાં જ ઘટે એવા ચારને બંધ-ચારને ઉદય-છની સત્તા તેમજ અબંધ–ચારને ઉદય-છની સત્તા. આ બે ભાંગાઓને જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ કાળ અન્તમુહૂર્ત અને અન્ય આચાર્યોના મતે ક્ષપકશ્રેણીમાં ઘટતા નિદ્રાના ઉદયવાળા બે ભાંગાઓને પણ આ જ પ્રમાણે અન્તર્મુહૂર્ત અને ચારને બંધ, ચાર કે પાંચને ઉદય-નવની સત્તા તેમજ અબંધ ચાર-પાંચને ઉદય અને નવની સત્તા આ ચાર ભાંગાઓને કાળ મરણની અપેક્ષાએ જઘન્યથી એક સમય અને મરણ વિના ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત છે. (૧) નવને બંધ, ચાર-પાંચ ને ઉદય અને નવની સત્તા તેમજ છ ને બંધ ચાર-પાંચ ને ઉદય અને નવની સત્તા આ ચારે સંવેધને કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત છે. કારણ કે અધુદયી પ્રકૃતિએ તેની યોગ્ય ભૂમિકામાં સમયથી અન્તર્મુહૂર્ત | અવશ્ય બંધની જેમ ઉદયમાં પણ પરાવર્તન પામે છે.
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy