________________
૧૮૦
પંચસંગ્રહ તૃતીયખડકરતાં પણ પાંચ ઉદયસ્થાનક હોય છે. તથા બાણું અને અડાશીમથી કેઈ પણ સત્તાસ્થાનક હોય છે.
મનુષ્યગતિ એગ્ય ઓગણત્રીશને બંધ કરતાં પણ ઉપર કહ્યાં તે પાંચે ઉદયસ્થાનકે હેય છે, પરંતુ તે દરેક ઉદયસ્થાનકમાં સત્તાસ્થાનકે ૯૨-૮૯-૮૮ એ ત્રણ ત્રણ સંભવે છે. તેમાં બાણું અને અઢાશી એ બે સત્તાસ્થાનક તે ૨૯ ના બંધમાં જેમ કહ્યાં તે પ્રમાણે હોય છે. અને ૮૯ નું સત્તાસ્થાન પહેલાં કહી ગયા તે રીતે મિથ્યાદષ્ટિ નારકીને શરૂઆતના અંતમુહૂર્ત પર્યન્ત હોય છે, અને તે વખતે તેઓ મનુષ્યગતિ યેગ્ય ઓગણત્રીશ પ્રકૃતિને જ બંધ કરે છે. એટલે મનુષ્યગતિ યોગ્ય ર૯ ના બંધે ૮૯ નું સત્તાસ્થાન મિયાદષ્ટિ નારકને જ હોય છે. કેમકે તે પર્યાપ્ત થયા બાદ અવશ્ય સમ્યકત્વ પ્રાપ્ત કરે છે અને તે વખતે તીર્થકર નામકર્મ યુક્ત મનુષ્યગતિ એગ્ય ત્રીશ પ્રકૃતિને બંધ કરે છે.
તીર્થકર નામયુક્ત મનુષ્યગતિ ગ્ય ત્રીશને બંધ કરતા નારકોને પોતપોતાના સઘળા ઉદયસ્થાનકે એક નેવ્યાશીનું જ સત્તાસ્થાન હોય છે.
હવે તિર્યંચગતિમાં બંધાદિ–સ્થાનને વિચાર કરે છે.–તિર્યંચને ૨૩-૨૫-૨૬-- ૨૮–૨૯-૩૦ એ છ બંધસ્થાનક હોય છે. એટલે કે તિયો ભિન્ન ભિન્ન ગતિ યોગ્ય ત્રેવીસ આદિ છ બંધસ્થાનમાંથી કોઈ પણ બંધસ્થાન બાંધે છે.
- તેમાં એકેન્દ્રિય ૨૩-૨૫-૨૬-૨૯-૩૦ એ પાંચ બંધસ્થાન બાંધે છે, વિલેન્દ્રિ અને અપર્યાપ્ત અસંશિઓ પણ એજ પાંચ બંધસ્થાન બાંધે છે. માત્ર પર્યાપ્ત અસંગ્નિ અને પર્યાપ્ત-અપર્યાપ્ત સંસિ તિર્યંચે યથાયોગ્ય રીતે ઉપરોક્ત છએ બંધસ્થાનકો બાંધે છે. અહિં એ ખ્યાલમાં રાખવું કે પ્રથમ ગુણસ્થાનકે દેવ કે નરકગતિ યોગ્ય બંધ પર્યાપ્તાવસ્થામાં જ થાય છે. માત્ર અપર્યાપ્તાવસ્થામાં દેવગતિગ્ય બંધ સમ્યગૃષ્ટિપણમાં થાય છે.)
આ બંધસ્થાનકોને અને તેના ભાંગાને વિચાર પહેલાં કરી ગયા છે તે પ્રમાણે અહિં સમજી લેવાનું છે, કોને ક્યાં બંધસ્થાનકો હોય છે અને તે કઈ ગતિ એગ્ય છે તેને વિચાર કરી તેના ભાંગાએ પણ સમજી લેવા ગ્ય છે.
ઉદયસ્થાનકે નવ છે, તે આ–૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ આ ઉદયસ્થાનકે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞિ–સંસિ તિર્યંચ પંચેન્દ્રિય ગ્ય છે. તે પણ તેઓ તેઓના ઉદયસ્થાનકો કહેવાના પ્રસંગે પહેલાં કહી ગયા છે. તે પ્રમાણે અહિં પણ કહી જવાનાં છે.