SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તતિકા ટીકાનુવાદ ૧૮૧ - સત્તાસ્થાને પાંચ છે, તે આ-૯૨-૮૮-૮૬-૮૦-૭૮ તે પણ યથાયોગ્ય રીતે પહેલાંની જેમ સમજી લેવાનાં છે. તિર્યમાં ક્ષપકશ્રેણિ અને તીર્થંકર નામની સત્તાને અભાવ હોવાથી તીર્થકર સંબંધી કઈ પણ સત્તાસ્થાને હેતાં નથી. હવે સંવેધ કહે છે–ત્રેવીસના બંધક તિર્યંચને એકવીશ આદિ ઉપર કહી ગયા તે નેવે ઉદયસ્થાનકે હોય છે. તેમાં શરૂઆતના ૨૧-૨૪-૨૫-૨૬ એ ચાર ઉદયસ્થાનમાં દરેકમાં પાંચ પાંચ સત્તાસ્થાનકે હોય છે. તે આ -૯૨-૮૮-૮૬-૮૦-૭૮. આમાંનું અઠ્ઠોતેરનું સત્તાસ્થાન તેઉ–વાઉને હોય છે, તેમજ તે-વાઉમાંથી ચ્યવી જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં તેઓ જ્યાં સુધી મનુષ્યદ્ધિકને બંધ ન કરે ત્યાં સુધી હોય છે. બાકીના સત્તાવીશ આદિ પાંચ ઉદયસ્થાનમાં અઠ્ઠોતેર સિવાયનાં ચાર ચાર સત્તાસ્થાને હોય છે. સત્તાવીશ આદિ પાંચ ઉદયમાં વર્તમાન તિર્યંચે અવશ્ય મનુષ્યદ્ધિક બાંધતા હેવાથી તેઓમાં અઠોતેરનું સત્તાસ્થાન સંભવતું નથી. - આજ પ્રમાણે પચીસ, છબ્બીસ, એગણત્રીશ અને ત્રીશના બંધકને પણ ઉદયસ્થાન અને સત્તાસ્થાને કહેવાં. માત્ર મનુષ્યગતિ એગ્ય ૨૯ ને બંધ કરતા તિર્યને પિતાને ગ્ય સઘળા ઉદયસ્થાનેમાં ૭૮ સિવાયનાં ચાર ચાર સત્તાસ્થાને કહેવાં. દેવ કે નરકગતિ એગ્ય અઠ્ઠાવીશના બંધક પર્યાપ્ત અસંઝિને ૩૦-૩૧ એ બે ઉદયસ્થાનક હોય છે, અને અપર્યાપ્ત સંસિ તિર્યંચને આઠ ઉદયસ્થાનક હોય છે. તે આ પ્રમાણે-૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧. તેમાં ૨૧-૨૬-૨૮-૨૯-૩૦ એ પાંચ ઉદયસ્થાનકે પૂર્વબદ્ધાયુ ક્ષાયિક સમ્યગદષ્ટિ અને બાવીસની‘સત્તાવાળા વેકસમ્યગ્દષ્ટિને સમજવાં. એક-એક ઉદયસ્થાનકે બાણું અને અાશી એમ બન્ને સત્તાસ્થાનકે હેાય છે. ( ૧ જેઓ દેવ કે નરકગતિયો ય બંધ કરે છે તેઓ દેવદ્રિકાદિ ઉલતા નથી, પરંતુ જેઓ બંધ નથી કરતા તેઓ જ ઉલે છે. એટલે દેવદ્રિક, નરકઠિક, અને ક્રિય ચતુષ્કની ઉધલના એકેન્દ્રિય કરે છે. અને મનુષ્યદ્ધિકની ઉઠલના તે-વાઉ જ કરે છે. એટલે તેમાં ૮૬-૮૦-૭૮ એ સત્તાસ્થાનકે સંભવે છે અને ત્યાંથી આવી જેમાં ઉત્પન્ન થાય છે, ત્યાં પણ જ્યાં સુધી ન બાંધે ત્યાં સુધી યથાયોગ્ય રીતે એ ત્રણમાંથી કોઈ પણ સત્તાસ્થાનક હોય છે. એટલે સામાન્ય રીતે તિર્યંચમાં પાંચે - સત્તાસ્થાનકે કહ્યાં છે. ૨ આ સત્તાસ્થાન તે યુગલિયામાં હોય છે. કેમકે સંખ્યાત વર્ષના આયુવાળો મનુષ્ય યુગલિક - તિવચન આથુ બાંધ્યા બાદ ક્ષાયિક ઉત્પન્ન કરી શકે છે, સંખ્યાત વર્ષનું તિય"ચાય બાંધ્યા પછી " ઉત્પન્ન કરી શકતા નથી. પરંતુ અહિં એક વિચાર થાય છે કે સંખ્યાત વરસના આયુવાળા તિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં કોઈ સમ્યકત્વ હોય કે નહિ ? કઈ પણ સ્થળે ૨૪ કે ૨૮ની સત્તાવાળા ક્ષાપથમિક મસકવી સિચને અપર્યાપ્તાવસ્થામાં દેવગતિને બંધક લીધા નથી. ઉલટું ૨૧ કે ૨૨ ની સત્તાવાળા લીધો છે અને તે તે યુગલિક હોય છે. આ ઉપરથી એમ સમજાય છે કે સંખ્યાત વરસના આયવાળા તિ"ચમાં સમ્યકત્વ લઈ કોઈ ઉત્પન્ન થતા નથી. પર્યાતા થયા પછી તેઓ ઉપશમ કે ક્ષાપથમ સમ્યક્ત્વ ઉત્પન્ન કરી શકે છે.
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy