SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પંચસંગ્રહ વતીયખંડ સ્થાનના બાંધનાર પણ ઓગણત્રીશના બંધકની જેમ ચારે ગતિના જીવે છે. માત્ર વિકલન્દ્રિયગ્ય ત્રીશના બંધક મનુષ્ય અને તિર્યંચે છે. આ રીતે મિથ્યાટિ ગુણસ્થાનકે બાંધનાર ભિન્ન ભિન્ન છે આશ્રયી છ બંધ સ્થાનક હોય છે. ત્રેવીસ આદિ બંધસ્થાનમાં થતી ભંગ સંખ્યાને અનુક્રમે નિરૂપણ કરવા માટે અન્ય શાસ્ત્રપ્રસિદ્ધ ગાથા આપવામાં આવી છે, તે આ છે– "चउ पणवीसा सोलस, नव चत्ताला सयाय बाणउइ । बत्तीसुत्तर छायाल सया मिच्छरस बंधविही" એટલેકે ત્રેવીસના બંધસ્થાનકના ચાર, પચીસના પચીસ, છવ્વીસના સેળ, અઠ્ઠાવી. શના નવ, એગણત્રીશના બાણું ચાલીસ, અને ત્રીશના બંધસ્થાનકના છેતાલીસ બત્રીસ ભંગ થાય છે. આઠ બંધસ્થાનકના કુલ ભંગ તેરહજાર નવસે પીસતાલીસ થાય છે. તેમાંથી તીર્થ કરનામકર્મ સાથે દેવગતિ પ્રાયોગ્ય ઓગણત્રીશના બંધના આઠ ભંગ, તીર્થંકર નામકર્મ સાથે મનુષ્યગતિ પ્રાયોગ્ય ત્રશના બંધસ્થાનકના આઠ અંગ, આહારકદ્ધિકસાથે દેવગતિયોગ્ય ત્રીશના બંધસ્થાનકને એક ભંગ, આહારદ્ધિક અને તીર્થકર સાથે દેવગતિયોગ્ય એકત્રીશના બંધસ્થાનકને એક ભંગ, અને યશકીર્તિરૂપ એક પ્રકૃતિના બંધસ્થાનકને એક ભંગ કુલ એગણીશ ભંગ બાદ કરતાં મિશ્ચાદષ્ટિગુણસ્થાનકે છ બંધસ્થાનકેના ઉપર કહ્યા તે તેર હજાર નવસે અને છવ્વીસ ભંગ થાય છે. આ પ્રમાણે મિયાદના બંધસ્થાનકનું નિરૂપણ કર્યું. હવે ઉદયસ્થાનકનું નિરૂપણ કરે છે_મિયાદષ્ટિ ગુણસ્થાનકે ભિન્નભિન્ન છ આશ્રયી નવ ઉદયસ્થાનકે છે, તે આ પ્રમાણે ૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧ આ સઘળાં ઉદયસ્થાનકે કેવી રીતે હોય છે, તથા તેના કેટલા કેટલા પ્રકાર થાય છે તે સઘળું પહેલાં વિસ્તારપૂર્વક ગાથા ૭૩ થી ૯૧ સુધીમાં કહ્યું છે. છતાં અહિં પણ લેશ માત્ર કહેશે. આ ગુણસ્થાનકે આહાકસંયતનાં, ક્રિયસંતનાં અને કેવલિભગવંતનાં ઉદયસ્થાનકે તથા તેના ભંગ દેતા નથી. એટલે આ ગુણસ્થાનકે ઉદયસ્થાનના કુલ ૭૭૯૧ ભંગમાંથી આહારકસંયતના પાંચ ઉદયસ્થાનકના સાત, વૈક્રિયસંતના ૨૮–૨૯-૩૦ એ ત્રણ ઉદયસ્થાનકને એક એક કુલ ત્રણ અને તીર્થંકર-અતીર્થકર ભગવંતના દશ ઉદયસ્થાનકમાંથી સામાન્ય મનુષ્યમાં નહિ ગણાયેલા આઠ ભંગ, કુલ અઢાર ભંગ બાદ કરતાં ૭૭૭૩ ઉદય ભંગ હોય છે. જેનું અહિં નિરૂપણ કરે છે. એકવીશના ઉદયન એકતાલીસ ભંગ અહિં મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે હોય છે. તે આ
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy