SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પંચસંગ્રહ તૃતીયખંડ મિથે ચાર ચવીશ હોય છે મિશ્ર ગુણસ્થાનકવન્ત આત્મા કાળ કરતું નથી. એટલે અપર્યાપ્તાવસ્થાસંભવી વૈક્રિયમિશ્ર, દારિક મિશ્ર અને કામણુકાયેગ પણ હોતા નથી, પરંતુ દશ યોગેજ હોય છે. એટલે દશ સાથે ચારને ગુણતાં ચાલીશ થાય. - અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે આઠ વિશી હોય છે. આ ગુણસ્થાનકે કાલ કરવાને પણ સંભવ હોવાથી અપર્યાપ્તાવસ્થામાં સંભવતા પૂર્વોક્ત ત્રણ ગે હોય છે, તેથી અહિં તેર ગે સંભવે છે. એટલે તેર સાથે આઠને ગુણતાં એકસે ચાર થાય છે. દેશવિરતિગુણસ્થાનકે આઠ ચેવિશીઓ હોય છે. દેશવિરતિગુણસ્થાનક અપર્યાપ્તાવસ્થામાં સંભવતું નહિ હેવાથી અહિં ઔદારિક મિશ્ર અને કાર્મણકાગ લેતા નથી, અને આહારદ્ધિક પણ હેતું નથી, અગીઆર યોગે જ હેય છે. એટલે અગીઆર સાથે આઠ ગુણતાં અાશી થાય.. પ્રમ આહારદ્ધિક હોવાથી તેર યોગ હોય છે. અહિં આઠ ચેવિશ થાય છે. એટલે તેર સાથે આઠ ગુણતાં એકસે ચાર થાય છે. અપ્રમત્તગુણસ્થાનકે આહારકમિશ્ર અને શૈક્રિયમિશ્રગ લેતા નથી, અગીઆર ગેજ હોય છે. અહિં વિશી આઠ થાય છે. એટલે અગીઆર સાથે આઠ ગુણતાં અટ્ટીશી થાય છે. અપૂર્વકરણે ચાર ચેવિશ છે. અહિં મનેયોગ ચાર,વચનગ ચાર અને ઔદારિકકાય કુલે નવ ગે હોય છે. એટલે નવ સાથે ચાર ગુણતાં છત્રીશ થાય છે. સઘળી મળ છસે સેળ ચેવિશ થાય છે. તેને એવી ગુણતાં ચૌદ હજાર સાતસે અને ચોરાશી થાય તથા દ્ધિકેદય અને એકાદયના સત્તર ભંગ થાય છે. નવમે, દશમે ગુણસ્થાનકે યે નવ હોય છે. એટલે સત્તર સાથે નવ ગુણાકાર કરતાં એકસે ત્રેપન થાય છે. તેને પૂર્વની રાશિમાં ઉમેરતાં ચૌદ હજાર નવસે અને સાડત્રીશ ઉદયભંગ થાય છે. આ ભાંગાએમાંથી જે ભાંગાએ સંભવતા નથી, તે દૂર કરવા જોઈએ. એટલે કયા ભાંગાએ સંભવતા નથી અને તે શા માટે સંભવતા નથી તે કહે છે – શૈકિયમિશ્ર, ઔદારિકમિશ્ન અને કાર્પણ કાર્યને વર્તમાન મિથ્યાષ્ટિને અનન્તાનુબંધિના ઉદય વિનાની સાતના ઉદયની એક, આઠના ઉદયની છે, અને નવના ઉદયની એક એમ ચાર એવી સંભવતી નથી. કારણ શું? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે-જે આત્મા પહેલાં ક્ષાપશમિક સભ્યત્વ છતાં અનંતાનુબંધિની વિસંયેજના કરી, કાળાંતરે પરિણામના પરાવર્તન વડે સમ્યકત્વથી પછી મિથ્યાત્વે આવી મિથ્યાત્વરૂપ હેતુ વડે અનંતાનુબંધિ બાંધવાને આરંભ કરે, તેવા મિથ્યાષ્ટિ આત્માને એક આવલિકા કાળ પયત અનંતાનુબંધિને ઉદય હેતું નથી.
SR No.005676
Book TitlePanchsangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1984
Total Pages420
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy