SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૮ પંચસંગ્રહ-૨ જ્યાં ક્રોધનો ઉદય વિચ્છેદ થયો હતો ત્યાંથી આરંભી ક્રોધને અનુભવે છે. આ પ્રમાણે ચડતાં જે સમયે જેનો ઉદયવિચ્છેદ થયો હતો પડતાં ત્યાં આવે ત્યારે તેનો ઉદય થાય છે. આ પ્રમાણે ક્રમપૂર્વક અનુભવવા માટે બીજી સ્થિતિમાંથી તેઓનું દલિક ખેંચીને પ્રથમસ્થિતિ કરે છે. ખેચેલા દલિકને ઉદયસમયાદિ સમયોમાં વિશેષજૂન-વિશેષજૂન ક્રમે ગોઠવે છે. ઉદય સમયે ઘણું દલિક ગોઠવે છે. દ્વિતીયસમયે વિશેષહીન, એમ ઉદયાવલિકાના ચરમસમય પર્યત ગોપુચ્છાકારે દલિક ગોઠવે છે અને ઉદયાવલિકાના ઉપરના સમયોમાં અસંખ્યાતઅસંખ્યાતગુણ ગોઠવે છે. ઉદયાવલિકા ઉપર પ્રથમ સમયે ઉદયાવલિકાના ચરમસમયના દલિક નિક્ષેપની અપેક્ષાએ અસંખ્યાતગુણ, તે કરતાં બીજા સમયમાં અસંખ્યાતગુણ, તે કરતાં ત્રીજા સમયે અસંખ્યાતગુણ, આ પ્રમાણે પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અસંખ્યાતઅસંખ્યાતગુણ દલિક ઉદયવતી પ્રવૃતિઓમાં ગુણશ્રેણિના શિર પર્યત ગોઠવે છે, ત્યાર પછી વિશેષહીન-વિશેષહીન ગોઠવે છે. ૮૬ આ જ હકીકત આ ગાથામાં કહે છે. जावइया गुणसेढी उदयवई तासु हीणगं परओ । उदयावलीमकाउं गुणसेढिं कुणइ इयराणं ॥८७॥ यावती गुणश्रेणिः उदयवतीषु तासु हीनकं परतः । उदयावलीमकृत्वा गुणश्रेणिं करोतीतरासाम् ॥८७॥ અર્થ–જે ઉદયવતી પ્રવૃતિઓ છે તેઓમાં ગુણશ્રેણિના શિરપર્યત ગુણશ્રેણિના ક્રમે દળનિક્ષેપ કરે છે, પછીના સમયોમાં ચૂન ચૂન કરે છે. ઇતર-અનુદયવતી પ્રવૃતિઓમાં ઉદયાવલિકા કર્યા વિના ઉપરના સમયથી ગુણશ્રેણિપર્યંત ગુણશ્રેણિના ક્રમે દળરચના કરે છે. ટીકાનુનત્કાળ ઉદયવતી જે પ્રકૃતિઓ છે, તેઓની ઉદયાવલિકામાં ગોપુચ્છાકારે દલિકનિક્ષેપ કરે છે–ગોઠવે છે, અને ઉદયાવલિકાના ઉપરના સમયથી આરંભી ગુણશ્રેણિના શિરપર્યંત ગુણશ્રેણિના ક્રમે પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તર અસંખ્ય-અસંખ્યગુણ દલિકનિક્ષેપ કરે છે, ત્યાર પછીના સમયોમાં વિશેષજૂન-વિશેષજૂન દલિકનિક્ષેપ કરે છે. અને તત્કાળ અનુદયવતી જે પ્રકૃતિઓ છે તેની ઉદયાવલિકા કરતો નથી–ઉદયાવલિકામાં દલિક ગોઠવતો નથી, પરંતુ તે એક ૧. અંતરકરણ ઉપરની અપેક્ષાએ સમ કહ્યું છે. એટલે કે લોભનું જે સ્થિતિ સુધી અંતરકરણ કરે માયા આદિ પ્રકતિઓનું પણ ત્યાં સુધી કરે છે. હવે અગિયારમેથી પડતાં ઉદય તો દરેકનો સાથે થતો નથી, પરંતુ ક્રમપૂર્વક થાય છે. એટલે ઉપશમ સમ્યક્તથી પડતાં અંતરકરણનો અમુક કાળ બાકી રહે અને બીજી સ્થિતિમાંથી ખેંચી જેમ નીચે ગોઠવે છે, તેમ અહીં પણ અંતરકરણનો અમુક કાળ બાકી રહે ત્યારે પહેલાં લોભનો ઉદય થાય છે માટે લોભની બીજી સ્થિતિમાંથી દલિક ખેંચે અને ઉપર કહ્યા પ્રમાણે રચના કરે, ત્યાર બાદ અંતર્મુહુર્ત કાળે માયાનો ઉદય થાય છે માટે અંતર્મુહૂર્ત બાદ માયાની બીજી સ્થિતિમાંથી દલિક ખેંચી તેની ઉપર કહ્યા પ્રમાણે રચના કરે. એ પ્રમાણે જે ક્રમે ઉપશમના કરી છે તેનાથી વિલોમ ક્રમે એટલે કે પડતાં જે ક્રમે જે પ્રકૃતિનો ઉદય થતો હોય તેની બીજી સ્થિતિમાંથી દલિક ખેંચી તેની રચના કરે. એટલે જ જેમ ક્રમપૂર્વક ઉપશમ થયો હતો તેમ વિલોમે ઉદય પણ ક્રમપૂર્વક થાય છે.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy