SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ૭૦૭ છે. અને ત્યાર પછી ક્રોધને ઉદયે શ્રેણિ આરંભનાર જે રીતે ક્રોધને ઉપશમાવે છે તે રીતે ત્રણ લોભને શાંત કરે છે. મોહનીય શાંત કરેલું હોવાથી આ ગુણસ્થાનકથી આગળ વધી શકતો નથી પણ અહીં અંતર્મુહૂર્ત રહી અવશ્ય પડે જ છે. તે પ્રતિપ્રાત–પડવું કેવી રીતે થાય છે, તે કહે છે– ઉપશાંતમોહ ગુણસ્થાનકથી બે રીતે પડે છે : ૧. ભવક્ષયે અને, ૨. ગુણસ્થાનકના કાળક્ષયે. ભવક્ષયે પ્રતિપાત મરનારને થાય છે. ઉપશાંત મોહગુણસ્થાનકે કોઈનું આયુ પૂર્ણ થાય છે, અને તે ત્યાંથી મરી સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યાયુના ચરમ સમય પર્યત અગિયારમું ગુણસ્થાનક હોય છે, પરંતુ દેવાયુના પ્રથમ સમયથી જ ચતુર્થ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. અને તેને પ્રથમ સમયથી જ એકીસાથે સઘળાં કરણી પ્રવર્તે છે. તેમાં ઉદીરણાકરણથી જે દલિકો ખેચે છે તેને ઉદયાવલિકામાં ગોઠવે છે જે દલિકોને ઉદીરતો નથી પરંતુ અપવર્તના કરણથી નીચે ઉતારે છે તે દલિકોને ઉદયાવલિકા બહાર ગોપુચ્છાકારે ગોઠવે છે. અને જે અંતરકરણ હતું એટલે કે શુદ્ધ ભૂમિકા હતી તેને દલિકોથી ભરી દે છે, અને તે દલિકોને અનુભવે છે. જે ઉપશાંતમોહે ગુણસ્થાનકનો અંતર્મુહૂર્તનો કાળ પૂર્ણ કરી પડે છે તે જે ક્રમે સ્થિતિઘાતાદિ કરતો ચડતો હતો, તે જ ક્રમે પશ્ચાનુપૂર્વીએ સ્થિતિઘાતાદિ કરતો પ્રમત્તસંયતગુણસ્થાનક સુધી પડે છે. ૮૫ ओकड्डित्ता दलियं पढमठितिं कुणइ बिइयठिहितो । उदयाइ विसेसूणं आवलिउप्पिं असंखगुणं ॥८६॥ अपकृष्ण दलिकं प्रथमस्थितिं करोति द्वितीयस्थितेः । उदयादिषु विशेषोनं आवलिकोपरि असंख्येयगुणम् ॥८६॥ અર્થ દ્વિતીય સ્થિતિમાંથી દલિકોને ખેંચીને પ્રથમસ્થિતિ કરે છે. ઉદય સમયથી આરંભી વિશેષ ન્યૂન-ન્યૂન, અને આવલિકા ઉપર અસંખ્યય ગુણ ગોઠવે છે. ટીકાનુ–ઉપશાંતમો ગુણસ્થાનકેથી ગુણસ્થાનકનો કાળ પૂર્ણ કરીને પડતા સંજવલન લોભાદિ કર્મોને અનુભવે છે. અગિયારમેથી દશમે આવતાં પહેલાં સંજવલન લોભને અનુભવે છે, ત્યાર પછી નવમે ગુણસ્થાનકે જ્યાં માયાનો ઉદયવિચ્છેદ થયો હતો ત્યાંથી આરંભી માયાને, ત્યાર પછી જ્યાં માનનો ઉદયવિચ્છેદ થયો હતો ત્યાંથી આરંભી માનને, ત્યારપછી ૧. ગુણસ્થાન પર ચડતાં પરિણામની અત્યંત વિશુદ્ધિ હોવાથી વધારે વધારે પ્રમાણમાં સ્થિતિ અને રસનો ઘાત કરતો હતો, વધારે વધારે દલિતો ઉતારી ઉદય સમયથી આરંભી વધારે વધારે ગોઠવતો હતો અને નવો નવો સ્થિતિબંધ હીન હીન કરતો જતો હતો, હવે પડતાં પરિણામની મંદતા હોવાથી અલ્પ પ્રમાણમાં સ્થિતિ, રસનો ઘાત કરે, સ્થિતિબંધ વધારતો જાય, અને ગુણશ્રેણી વિલોમે કરે એટલે કે નિષેક રચનાને અનુસારે દળરચના કરે. એટલે કે ઉદય સમયમાં ઘણા, ત્યારબાદ અલ્પ અલ્પ, એ પ્રમાણે ૮૬મી ગાથામાં કહેલ વિધિએ દળરચના કરે.
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy