SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૨૧ અનંતગુણ કહેવો, એ પ્રમાણે ઉપર એક સ્થાનમાં ઉત્કૃષ્ટ અને નીચે એક સ્થાનકમાં જઘન્ય રસ અનંતગુણક્રમે ત્યાં સુધી કહેવો. યાવતુ જઘન્ય સ્થિતિ આવે–સાતાની જે ઓછામાં ઓછી સ્થિતિ પર્યત અનુકૃષ્ટિ થતી હોય તે છેલ્લી સ્થિતિ આવે. કંડક પ્રમાણ છેલ્લાં સ્થિતિસ્થાનોમાં ઉત્કૃષ્ટરસ કહ્યા વિના બાકી રહે છે તે પણ ઉત્તરોત્તર છેલ્લા જઘન્ય સ્થિતિસ્થાન પર્વત અનુક્રમે અનંતગુણ કહેવો. સ્થિરાદિષર્ક અને ઉચ્ચગોત્રાદિ પંદર પ્રકૃતિઓની તીવ્રમંદતા આ પ્રમાણે કહેવી. હવે નીચગોત્રની અને ઉપલક્ષણ દ્વારા તિર્યશ્વિક તથા ત્રસાદિચતુષ્કની પણ તીવ્રમંદતા કહે છે – अंतेसुवघायसमं मज्झे नीयस्ससायसमं ॥९८॥ अन्तयोरूपघातसमं मध्ये नीचस्यासातसमम् ॥१८॥ અર્થ–શરૂઆતનાં અને છેવટનાં સ્થિતિસ્થાનકોમાં ઉપઘાતની જેમ અને વચલા સ્થાનકોમાં અસાતાની જેમ નીચગોત્રની તીવ્રમંદતા જાણવી. ટીકાનુ—શરૂઆતમાં અને છેવટે નીચગોત્રની તીવ્રમંદતા ઉપઘાતની જેમ સમજવી. ગાથામાં માત્ર “નીચ પદ મૂકેલું હોવાથી ઉપલક્ષણથી તિર્યશ્વિક અને ત્રસાદિ ચતુષ્કની પણ એ જ પ્રમાણે જાણવી. અને વચમાં અસાતાની જેમ સમજવી. આ તો અતિ સંક્ષેપમાં કહ્યું. તેનો જ હવે વિસ્તારથી વિચાર કરે છે. સમ્યક્ત ઉત્પન્ન કરતા અનિવૃત્તિકરણના ચરમસમયે વર્તમાન સાતમી નરકમૃથ્વીના નારકીને સર્વજઘન્ય સ્થિતિબંધ થાય છે. તે સમયે જે સર્વજઘન્ય રસબંધ થાય છે તે અલ્પ, તેનાથી સમયાધિક-બીજી સ્થિતિમાં અનંતગુણ, તેનાથી સમયાધિક-ત્રીજી સ્થિતિમાં અનંતગુણ એ પ્રમાણે ત્યાં સુધી કહેવું. યાવતું નિવર્તન કંડક પૂર્ણ થાય તેનાથી-કંડકના છેલ્લા સ્થિતિસ્થાનકથી જઘન્યસ્થિતિમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તેનાથી નિવર્તન કંડકની ઉપરની પહેલી સ્થિતિમાં જઘન્યરસ અનંતગુણ, તેનાથી સમયાધિક જઘન્યસ્થિતિમાં ઉત્કૃષ્ટરસ અનંતગુણ, તેનાથી નિવર્તન કંડકની ઉપરની બીજી સ્થિતિમાં જઘન્યરસ અનંતગુણ, એ પ્રમાણે કંડક ઉપરની સ્થિતિઓમાં જઘન્યરસ અને જઘન્યસ્થિતિ ઉપરની સ્થિતિઓમાં ઉત્કૃષ્ટરસ અનુક્રમે અનંતગુણ ત્યાં સુધી કહેવો યાવતુ અભવ્યપ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધની નીચેનું સ્થિતિસ્થાનક આવે. અભવ્યપ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધની નીચેની કંડકપ્રમાણ સ્થિતિઓમાં ઉત્કૃષ્ટ અનુભાગ કહેવો, બાકી રહેલ છે જે આગળ ઉપર કહેશે. અભવ્યપ્રાયોગ્ય જઘન્યરસના વિષયભૂત જઘન્યસ્થિતિની નીચેના સ્થિતિસ્થાનકથી અભવ્ય યોગ્ય જઘન્યરસના વિષયભૂત પહેલી સ્થિતિમાં જઘન્યસ્થિતિમાં જઘન્ય અનુભાગ અનંતગણ થાય છે. તેની પછીની બીજી સ્થિતિમાં જઘન્ય અનુભાગ તેટલો જ થાય છે. ત્રીજી સ્થિતિમાં જઘન્ય અનુભાગ તેટલો જ થાય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવત્ શતપૃથક્વ સાગરોપમપ્રમાણ સ્થિતિઓ જાય. જયાં સુધી ઉચ્ચગોત્ર સાથે પરાવર્તન ભાવે બંધાય છે અને તે અને અન્ય એ અનુક્રમે અનુકૃષ્ટિ જાય છે ત્યાં સુધી પૂર્વ પૂર્વ સ્થાનકમાં જઘન્યરસ જેટલો બંધાય તેટલો જ ઉત્તર ઉત્તરસ્થાનકમાં બંધાય એમ કહેવું. પંચ,૨-૧૬
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy