SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ પંચસંગ્રહ-૨ ટીકાનુ સાતાની તીવ્ર-મંદતા અસાતાની જેમ જ કહેવાની છે માત્ર ઉત્કૃષ્ટ સ્થિતિથી શરૂઆત કરવાની છે. તે આ પ્રમાણે–સાતાની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધતા જઘન્ય અનુભાગ અલ્પ, સમયોન ઉત્કૃષ્ટસ્થિતિ બાંધતા જઘન્ય અનુભાગ તેટલો જ બંધાય, બે સમયજૂન ઉત્કૃષ્ટસ્થિતિ બાંધતા પણ જઘન્ય અનુભાગ તેટલો જ બંધાય છે. એ પ્રમાણે પૂર્વ-પૂર્વથી ઉત્તરોત્તર સ્થિતિસ્થાન બાંધતાં તેટલો જ જઘન્યરસનો બંધ ત્યાં સુધી કહેવો યાવતુ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાનક આવે. જેટલાં સ્થિતિસ્થાનકો અસાતાની સાથે પરાવર્તમાન ભાવે બંધાય છે તેટલાં સ્થિતિસ્થાનકોમાં પૂર્વના સ્થાનકમાં જેટલો જઘન્યરસ બંધાય છે તેટલો જ ઉત્તર ઉત્તર સ્થાનકમાં બંધાય છે. કારણ કે રસબંધના હેતુભૂત જે અધ્યવસાયો પૂર્વ સ્થાનકમાં છે તે જ ઉત્તર સ્થાનકમાં પણ છે. તેનાથી નીચલા સ્થિતિસ્થાનકમાં જઘન્યરસ અનંતગુણ, તેનાથી તેની નીચેના સ્થિતિસ્થાનકમાં જઘન્યરસ અનંતગુણ, એ પ્રમાણે અનંતગુણ રસ ત્યાં સુધી કહેવો યાવત કંડકના સંખ્યાતાભાગ જાય, એક ભાગ શેષ રહે. સંખ્યાત ભાગહીન કંડક પ્રમાણ આ સ્થિતિઓનો તે સ્થિતિઓ સાકાર ઉપયોગથી જ બંધાતી હોવાથી “સાકારોપયોગ” એ નામે પૂર્વ ગ્રંથોમાં વ્યવહાર છે. તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનક બાંધતા ઉત્કૃષ્ટ રસ અનંતગુણ બંધાય, તેનાથી સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા ઉત્કૃષ્ટરસ અનંતગુણ બંધાય, તેનાથી બે સમયજૂન ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતાં ઉત્કૃષ્ટરસ અનંતગુણ બંધાય, એ પ્રમાણે નીચે નીચેના સ્થિતિસ્થાનકમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ ત્યાં સુધી કહેવો યાવત્ કંડક પ્રમાણ સ્થિતિસ્થાનકો જાય. આ કંડકના છેલ્લા સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટરસથી નીચે જે સ્થિતિસ્થાનનો જઘન્યરસ કહીને પાછા ફર્યા હતા, તેની નીચેના એટલે કે કંડકના શેષ સંખ્યાતમા ભાગના પહેલા સ્થિતિસ્થાનકમાં જઘન્ય રસ અનંતગુણ કહેવો. તે કરતાં ઉપર કંડકપ્રમાણ સ્થાનકોથી નીચેના કંડકપ્રમાણ સ્થાનકોમાં ઉત્તરોત્તર અનંતગુણ રસ કહેવો. તે કંડકપ્રમાણ સ્થાનકોમાંના છેલ્લા સ્થાનકથી જે સ્થિતિસ્થાનકથી ઉપરના બીજા કંડકપ્રમાણ સ્થાનકોમાં ઉત્તરોત્તર અનંતગુણ રસ કહ્યો તેની નીચેના સ્થિતિસ્થાનકમાં જઘન્ય રસ અનંતગુણ કહેવો. તેનાથી ઉપરના ત્રીજા કંડકપ્રમાણ સ્થાનકોમાં ઉત્તરોત્તર અનંતગુણ રસ કહેવો. આ પ્રમાણે નીચે નીચેના એક એક સ્થિતિસ્થાનકમાં જઘન્ય રસ અને ઉપરના એક એક કંડકપ્રમાણ સ્થાનકોમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ ક્રમે ત્યાં સુધી કહેવો યાવત સાકારોપયોગ સંજ્ઞાવાળા જઘન્ય રસના વિષયભૂત સ્થાનકોનું કંડક પરિપૂર્ણ થાય અને ઉત્કૃષ્ટ રસના વિષયભૂત અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સુધીનાં સઘળાં સ્થિતિસ્થાનકો સમાપ્ત થાય. એટલે કે ત્યાં સુધીનાં સઘળાં સ્થાનકોમાં ઉત્કૃષ્ટ રસ કહેવાઈ જાય. અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાનક બાંધતાં જે ઉત્કૃષ્ટરસ બંધાય છે તેનાથી સાકારોપયોગ સંજ્ઞાવાળા કંડકની નીચલા સ્થિતિસ્થાનકમાં જઘન્ય રસ અનંતગુણ કહેવો, તેનાથી અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિની નીચેના પહેલા સ્થિતિસ્થાનકમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ કહેવો, તેનાથી સાકારોપયોગ સંજ્ઞાવાળા કંડકની નીચેના બીજા સ્થિતિસ્થાનકમાં જઘન્યરસ અનંતગુણ કહેવો. તેનાથી અભવ્ય યોગ્ય જઘન્ય સ્થિતિની નીચેના બીજા સ્થિતિસ્થાનકમાં ઉ બાબા 3ના ઉક રસ
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy