SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ પંચસંગ્રહ-૨ અભવ્યયોગ્ય જઘન્યસ્થિતિબંધથી આરંભી દશ કોડાકોડી સાગરોપમ પર્વત ઉચ્ચનીચગોત્ર પરાવર્તન ભાવે બંધાય છે માટે દશ કોડાકોડી સાગરોપમરૂપ છેલ્લા સ્થિતિસ્થાનકપર્યત તેની પૂર્વ પૂર્વના સ્થાનકમાં જે જઘન્ય રસબંધ થાય છે તે જ ઉત્તર ઉત્તર સ્થાનકમાં થાય એમ કહેવું. આ સઘળાં સ્થિતિસ્થાનકો પરાવર્તન પરિણામે બંધાતાં હોવાથી તેઓનું પૂર્વ પુરુષોએ પરાવર્તમાન જઘન્યાનુભાગ બંધપ્રાયોગ્ય' એ નામ કરેલું–પાડેલું છે. એની ઉપરની પહેલી સ્થિતિમાં જઘન્ય અનુભાગ અનંતગુણ, તેનાથી બીજી સ્થિતિમાં જઘન્ય અનુભાગ અનંતગુણ, ત્રીજી સ્થિતિમાં જઘન્ય અનુભાગ અનંતગુણ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું યાવત્ કંડકના સંખ્યાતા ભાગ જાય એક ભાગ રહે. તેનાથી અભવ્યપ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધની નીચેના એક કંડકપ્રમાણ જે સ્થાનોમાં ઉત્કૃષ્ટરસ કહ્યા વિના બાકી રહેલ છે તે સ્થાનોમાં અનુક્રમે ઉત્કૃષ્ટરસ અનંતગુણ કહેવો. તેનાથી ઉપરોક્ત અભવ્યપ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધની નીચેના કંડકમાં જે સ્થિતિસ્થાનકથી અનુક્રમે અનંતગણ ઉત્કૃષ્ટરસ કહ્યો. તેની પછીના અર્થાત જે સ્થિતિસ્થાનનો જઘન્યરસ કહી અટક્યા હતા, તેની પછીના એટલે કંડકના શેષ સંખ્યાતમા ભાગના પહેલા સ્થિતિસ્થાનકમાં જઘન્યરસ અનંતગુણ, તેનાથી અભવ્યપ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધથી આરંભી એક કંડકપ્રમાણ સ્થાનકોમાં ઉત્કૃષ્ટ અનુભાગ અનુક્રમે અનંતગુણ કહેવો. તેનાથી અભવ્યપ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધથી આરંભી કંડકપ્રમાણ સ્થાનકોમાં જે સ્થિતિસ્થાનકથી ઉત્કૃષ્ટરસ અનુક્રમે અનંતગુણ કહ્યો તેની ઉપરના એકસ્થિતિસ્થાનકમાં જઘન્ય અનંતગુણ રસ કહેવો, તેનાથી અભવ્યપ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધથી આરંભી કંડકની ઉપરના કંડકપ્રમાણ સ્થાનકોમાં અનુક્રમે ઉત્કૃષ્ટ રસ અનંતગુણ કહેવો. એ પ્રમાણે એક સ્થિતિસ્થાનકમાં જઘન્ય અનુભાગ અને કંડકપ્રમાણ સ્થિતિસ્થાનકમાં ઉત્કૃષ્ટ અનુભાગ કહેતા ત્યાં સુધી જવું યાવત્ અભવ્યપ્રાયોગ્ય જઘન્ય અનુભાગ બંધના વિષયભૂત છેલ્લી સ્થિતિ આવે. એટલે કે જે સ્થિતિસ્થાનક સુધી ઉચ્ચગોત્ર સાથે પરાવર્તન ભાવે બંધાય છે તે છેલ્લું સ્થિતિસ્થાનક આવે. તેનાથી જે સ્થિતિસ્થાનકમાં છેવટે જઘન્ય અનુભાગ કહ્યો હતો તેની ઉપરના એટલે કે ઉચ્ચગોત્ર સાથે અનાક્રાંત સ્થાનકોમાંના શરૂઆતથી કંડકપ્રમાણ સ્થાનકોની ઉપરના પહેલા સ્થિતિસ્થાનકમાં જઘન્ય અનુભાગ અનંતગુણ, તેનાથી અનાક્રાંત સ્થાનકોમાંના પહેલા સ્થાનકમાં ઉત્કૃષ્ટરસ અનંતગુણ, તેનાથી અનાક્રાંત સ્થાનકોમાંના બીજા કંડકના બીજા સ્થિતિસ્થાનકમાં જઘન્યરસ અનંતગુણ, તેનાથી અનાક્રાંત સ્થાનકોમાંના પહેલા કંડકના બીજા સ્થાનકમાં ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, એ પ્રમાણે એક સ્થિતિસ્થાનકમાં જઘન્ય અનુભાગ અને એક સ્થિતિસ્થાનકમાં ઉત્કૃષ્ટ અનુભાગ કહેતા ત્યાં સુધી જવું યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનકમાં જઘન્ય અનુભાગ અનંતગુણ આવે–થાય. કંડકપ્રમાણ છેલ્લાં સ્થિતિસ્થાનકોમાં ઉત્કૃષ્ટ અનુભાગ કહ્યા વિનાનો રહે છે તે પણ અનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનક પર્યત અનંતગુણ કહેવો. આ પ્રમાણે તિર્યદ્વિકની તીવ્ર-મંદતા જાણવી. હવે ત્રસનામકર્મની કહે છે તેની ઉત્કૃષ્ટ સ્થિતિથી આરંભી નીચગોત્ર પ્રમાણે કહેવાની છે, તે આ પ્રમાણે–ત્રસનામકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધતા જઘન્ય અનુભાગબંધ અલ્પ, તેનાથી સમયોન ઉત્કૃષ્ટસ્થિતિ બાંધતા જઘન્ય અનુભાગ અનંતગુણ, તેનાથી બે સમયજૂન ઉત્કૃષ્ટસ્થિતિ બાંધતા જઘન્ય અનુભાગ અનંતગુણ, આ પ્રમાણે નીચે નીચેના સ્થાનમાં જધન્ય અનુભાગ
SR No.005675
Book TitlePanchsangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages818
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy