SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમકાર ૭૩ ચૂર્ણિમાં ઉપશમણિનું ઉપશમસમ્યક્ત લઈ અનુત્તર વિમાનમાં જાય એ અપેક્ષાએ સંજ્ઞીપર્યાપ્ત અપર્યાપ્ત બે જીવભેદ કહ્યા. આ પ્રમાણે બે મત છે. તત્ત્વ કેવળીમહારાજ જાણે. તથા પર્યાપ્ત અપર્યાપ્ત સંજ્ઞી સિવાય શેષ સઘળાં જીવસ્થાનો અસંજ્ઞીમાર્ગણામાં હોય છે. ૨૫. હવે સામાન્યપણે જ્ઞાનાદિમાર્ગણામાં જેટલાં જીવસ્થાનકો ઘટે છે, તેનું પ્રતિપાદન કરે છે– दुसु नाण-दसणाई सव्वे अन्नाणिणो य विनेया । सन्निम्मि अयोगि अवेइ एवमाइ मुणेयव्वं ॥२६॥ द्वयोनिदर्शनानि सर्वेऽप्यज्ञानिनश्च विज्ञेयाः । संज्ञिन्ययोग्यवेद्येवमादि मन्तव्यम् ॥२६॥ અર્થ-જ્ઞાન અને દર્શન બે જીવભેદમાં હોય છે. અજ્ઞાનિ સઘળા જીવભેદો જાણવા. અયોગી અવેદિ આદિ ભાવો સંજ્ઞીમાં જ જાણવા. ટીકાનુ–સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે જીવભેદોમાં સામાન્ય રીતે જ્ઞાનદર્શન સંભવે છે, બીજા ભેદોમાં સંભવતાં નથી. અને સામાન્ય રીતે સઘળા જીવભેદો અજ્ઞાની સંભવે છે, એટલે કે ચૌદે જીવસ્થાનો અજ્ઞાની હોઈ શકે છે. અયોગીપણું, અદિપણું, આદિ શબ્દથી અલેશ્યાપણું, અકષાયિપણું અનિન્દ્રિયપણે માત્ર સંજ્ઞીપર્યાપ્તામાં જ તેમાં પણ મનુષ્યગતિમાં જ ઘટે છે, અન્યત્ર સંભવતું નથી. અહીં અયોગીપણું સંજ્ઞીપર્યાપ્તામાં કહ્યું છે, તેથી એમ શંકા થાય કે સૂક્ષ્મ બાદર યોગ વિનાના અયોગીપણામાં સંજ્ઞીપણું કેમ ઘટે? તેના ઉત્તરમાં સમજવું કે દ્રવ્યમનનો સંબંધ હોવાથી સંજ્ઞીપણું ઘટે છે. દ્રવ્યમનના સંબંધથી સંજ્ઞીપણાનો વ્યપદેશ થાય છે, જેમ સયોગી કેવળીમાં વ્યપદેશ થાય છે. કહ્યું છે કે મન કરણ-દ્રવ્યમન કેવળી મહારાજને છે, તેથી સંજ્ઞી કહેવાય છે.” ૨૬. પૂર્વની ગાથાના વિષયને જ વિશેષતઃ વિચારે છે– दो मइसुयओहिदुगे एकं मणनाणकेवलविभंगे । छ तिगं व चक्खुदंसण चउदस ठाणाणि सेसतिगे ॥ द्वे मतिश्रुतावधिद्विके एकं मनोज्ञानकेवलविभने । षड् त्रिकं वा चक्षुर्दर्शने चतुर्दश स्थानानि शेषत्रिके ॥ ૧. અયોગીપણામાં દ્રવ્યમનનો સંબંધ હોવાથી સંજ્ઞીપણું ઘટે છે એમ ઉપર કહ્યું, પરંતુ કોઈ પણ જાતના યોગ વિનાના તે આત્માને ક્યાં મન:પ્રાયોગ્યવર્ગણાનું ગ્રહણ કે પરિણમન કરવાનું છે કે દ્રવ્યમનનો સંબંધ છે એમ કહી શકાય ? આવી શંકા કરનારાએ સમજવું કે નજીકના ભૂતકાળમાં હોય તો તેનો વર્તમાનમાં આરોપ થઈ શકે છે અયોગીપણાની નજીકના સયોગીપણામાં મનઃપ્રાયોગ્ય વર્ગણાનું ગ્રહણ પરિણમન હતું. તેથી અયોગીપણામાં તે વખતે ભલે મન:પ્રાયોગ્ય વર્ગણાનું ગ્રહણ ન હોય તો પણ સશીપણાનો આરોપ થઈ શકે છે. પંચ૦૧-૧૦
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy