SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમદ્વાર ૭૦૧ ઉદ્ધલના કરી નથી તેઓને અજઘન્ય સત્તા અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અદ્ભવ હોય છે. સંજ્વલન લોભ અને યશકીર્તિની જઘન્ય પ્રદેશસત્તા ખપાવવા માટે ઉદ્યમવંત થયેલા ક્ષપિતકર્માશ આત્માને ક્ષપકશ્રેણિના યથાપ્રવૃત્તિકરણના–અપ્રમત્ત ગુણસ્થાનકના ચરમસમયે હોય છે. તે માત્ર એક સમય હોવાથી સાદિ સાંત ભાંગે છે. તે સિવાય અન્ય સઘળી પ્રદેશસત્તા અજઘન્ય છે. અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયે ગુણસંક્રમ વડે અશુભ અન્ય પ્રવૃતિઓનું ઘણું દલિક પ્રાપ્ત થતું હોવાથી તે અજઘન્ય પ્રદેશ પ્રદેશસત્તા સાદિ છે. તે સ્થાન નહિ પ્રાપ્ત કરનારને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ હોય છે. તથા સઘળી કર્મપ્રકૃતિઓના જે વિકલ્પો કહેવામાં આવ્યા નથી તે સાદિ અને સાંત એમ બે પ્રકારે છે. તેમાં શુભ ધ્રુવબંધિ પ્રવૃતિઓ અને ત્રસાદિ દશ વગેરે બેતાળીસ પ્રવૃતિઓના નહિ કહેલા જઘન્ય, અજઘન્ય અને ઉત્કૃષ્ટ એ ત્રણ વિકલ્પ સાદિ અને સાત એમ બે પ્રકારે છે. તેમાં ઉત્કૃષ્ટમાં સાદિ સાંત ભંગનો પહેલાં વિચાર કરી ગયા છે અને જઘન્ય અજઘન્ય એ બે વિકલ્પમાં સાદિ સાંત ભંગનો જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી કોણ છે ? તે જોઈ પોતાની મેળે વિચાર કરી લેવો. ધ્રુવસત્તા એકસો ચોવીસ પ્રકૃતિઓના જઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુષ્ટ એ ત્રણ વિકલ્પ સાદિ સાંત એમ બે ભાંગે છે. તેમાં જઘન્યમાં સાદિ સાંત ભંગનો પહેલાં વિચાર કરી ગયા છે અને પૂર્વોક્ત બેતાળીસ પ્રકૃતિઓ સિવાય સઘળી કર્મપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ એ બે વિકલ્પ ગુણિતકર્માશ મિથ્યાષ્ટિમાં હોય છે માટે તે બંને સાદિ સાંત ભાંગે છે. એ જ પ્રમાણે અનંતાનુબંધિ, સંજ્વલન લોભ અને યશ-કીર્તિના ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ એ બે વિકલ્પો પણ જાણી લેવા. જઘન્યનો તો પહેલાં વિચાર કરી જ ગયા છે. શેષ અધુવસત્તા પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ, જઘન્ય અને અજઘન્ય એ ચારે વિકલ્પો તેઓની સત્તા અધ્રુવ હોવાથી સાદિ સાંત એમ બે ભાંગે છે. ૧૫૪-૧૫૫ - આ પ્રમાણે સાદિ વગેરે ભંગનો વિચાર કર્યો. હવે સ્વામિત્વનો વિચાર કરવો જોઈએ. તે બે પ્રકારે છે–ઉત્કૃષ્ટ પ્રદેશ સત્કર્મ સ્વામિત્વ અને જઘન્ય પ્રદેશ સત્કર્મ સ્વામિત્વ. તેમાં પહેલા ઉત્કૃષ્ટ પ્રદેશ સત્કર્મ સ્વામિત્વ એટલે કે ઉત્કૃષ્ટ પ્રદેશની સત્તાનો સ્વામી કોણ છે તે કહે છે संपुन्नगुणियकम्मो पएसउक्कस्ससंतसामीओ । तस्सेव सत्तमीनिग्गयस्स काणं विसेसोवि ॥१५६॥ सम्पूर्णगुणितका उत्कृष्टप्रदेशसत्स्वामी । तस्यैव सप्तमीनिर्गतस्य कासां विशेषोऽपि ॥१५६॥ અર્થ–સંપૂર્ણ ગુણિતકર્માશ આત્મા પ્રાયઃ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. તથા સાતમી નરંકપૃથ્વીમાંથી નીકળેલા તેને જ કેટલીક પ્રવૃતિઓના સંબંધમાં વિશેષ પણ છે. ટીકાનુ–સાતમી નરકમૃથ્વીનો પોતાના આયુના ચરમસમયે વર્તમાન સંપૂર્ણ
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy