SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમદ્વાર ૯૬૫ हस्सटिइं बंधित्ता अद्धाजोगाइठिइनिसेगाणं । उक्कोसपए पढमोदयम्मि सुरनारगाऊणं ॥११५॥ हुस्वस्थिति बद्ध्वा अद्धायोगादिस्थितिनिषेकाणाम् । उत्कृष्टपदे प्रथमोदये सुरनारकायुषोः ॥११५॥ અર્થ—અદ્ધા, યોગ અને પહેલી સ્થિતિમાં દલિકનો નિષેક એ ત્રણેનું જ્યારે ઉત્કૃષ્ટપદ હોય અને જઘન્ય સ્થિતિનો બંધ કરી મરણ પ્રાપ્ત કરી દેવ કે નારકી થાય, ત્યારે તેને પ્રથમ સ્થિતિસ્થાનમાં વર્તતા દેવ અને નારકાયુનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય. ટીકાનુ–અદ્ધા-આયુનો બંધકાળ. યોગ-મન, વચન અને કાયા દ્વારા પ્રવર્તતું આત્મવીર્ય અને પ્રથમ સ્થિતિ નિષેક એટલે બંધાતા આયુના પહેલા સ્થાનકમાં થતી દળરચના. એ ત્રણ જ્યારે ઉત્કૃષ્ટપદે હોય એટલે કે ઉત્કૃષ્ટ યોગે વર્તતો વધારેમાં વધારે જેટલો કાળ આયુનો બંધ કરી શકે તેટલો કાળ આયુની જઘન્ય સ્થિતિનો બંધ કરીને તેમજ આયુના પ્રથમ સ્થાનકમાં ઉત્કૃષ્ટ દલિકનો નિક્ષેપ કરીને મરણ પામી દેવ કે નારકી થાય તે દેવને દેવાયુનો અને નારકીને નારકાયુનો આયુની પ્રથમ સ્થિતિનો અનુભવ કરતા ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય. કારણ કે દીર્ઘ અંતર્મુહૂર્ત પર્યંત ઉત્કૃષ્ટ યોગે ઘણાં દલિકો ગ્રહણ કરાયાં છે અને પ્રથમ સ્થિતિમાં ઘણાં ગોઠવાયાં છે, માટે પ્રથમ સ્થિતિનો અનુભવ કરતાં જ ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઘટી શકે છે. ૧૧૫ अद्धा जोगुक्कोसे बंधित्ता भोगभूमिगेसु लहुं । सव्वप्पजीवियं वज्जइत्तु ओवट्टिया दोण्हं ॥११६॥ . अद्धायोगोत्कृष्टेन बद्ध्वा भोगभूमिगेषु लघु । सर्वाल्पजीवितं वर्जयित्वा अपवर्त्य द्वयोः ॥११६॥ અર્થ–ઉત્કૃષ્ટ બંધકાળ અને ઉત્કૃષ્ટ યોગ વડે ભોગભૂમિ સંબંધી આયુ બાંધીને મરણ પામી યુગલિયામાં ઉત્પન્ન થાય, ત્યાં અંતર્મુહૂર્ત પ્રમાણ આયુ છોડી શેષ આયુની શીધ્ર અપવર્તના કરે, અપવર્નના થયા બાદ પ્રથમ સમયે તિર્યંચ અને મનુષ્યને ક્રમશઃ તિર્યંચાયું અને મનુષ્યાયુનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. ટીકાન–વધારેમાં વધારે જેટલો કાળ આયુ બાંધી શકે તેટલા કાળ વડે અને વધારેમાં વધારે જેટલા યોગ વડે આયુ બાંધી શકે તેટલા યોગ વડે ભોગભૂમિના તિર્યંચ અને મનુષ્ય સંબંધી કોઈ આત્મા તિર્યંચનું અને કોઈ આત્મા મનુષ્યનું ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ પ્રમાણ આયુ બાંધીને મરણ પામે, મરણ પામીને એક ત્રણ પલ્યોપમના આયુવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય અને બીજો ત્રણ પલ્યોપમના આયુવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉત્પન્ન થઈને શીધ્ર સર્વાલ્પજીવિતઓછામાં ઓછું અંતર્મુહૂર્ત પ્રમાણ આયુ વર્જીને શેષ પોતપોતાના સઘળા આયુની અપવર્તના ૧. અપર્યાપ્તાવસ્થામાં યુગલિયાને આયુની અવિના થઈ શકે છે, પર્યાપ્તો થતા પછી થતી નથી. પંચ૦૧-૮૪ .
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy