SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૮ પંચસંગ્રહ-૧ उद्दीरणजोग्गाणं अब्भहियठिईए उदयजोग्गाओ । उदीरणायोग्याभ्यो ऽभ्यधिकाः स्थित्या उदययोग्याः । અર્થ—ઉદીરણા યોગ્ય સ્થિતિથી ઉદયયોગ્ય સ્થિતિ એક સ્થિતિસ્થાનક વડે અધિક છે. ટીકાનુ—ઉદીરણાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિવાળી પ્રકૃતિઓની ઉદીરણાયોગ્ય જે સ્થિતિઓ છે, તેનાથી ઉદયયોગ્ય સ્થિતિઓ ઉદયપ્રાપ્ત એક સ્થિતિ વડે અધિક છે. એટલે કે ઉદીરણા વડે વધારેમાં વધારે જેટલાં સ્થિતિસ્થાનકોમાંનાં દલિકોને અનુભવે તેનાથી ઉદય વડે એક સ્થિતિસ્થાનકનાં અધિક દલિકો અનુભવે છે. તે આ પ્રમાણે— ઉત્કૃષ્ટ સ્થિતિ જ્યારે બંધાય ત્યારે અબાધાકાળમાં પણ પૂર્વે બંધાયેલું કે જેનો અબાધાકાળ વીતી ગયો હોય છે તે દલિક છે. કેમકે અબાધાકાળ તો વિવક્ષિત સમયે બંધાયેલી કર્મપ્રકૃતિઓનો હોય છે. સંપૂર્ણ કર્મલતાનો હોતો નથી. દાખલા તરીકે—જે સમયે મતિજ્ઞાનાવરણીયકર્મ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું બંધાય ત્યારે તે સમયથી આરંભી તેનો ત્રણ હજાર વરસનો અબાધાકાળ હોય છે. પરંતુ સંપૂર્ણ મતિજ્ઞાનાવરણીયનો હોતો નથી કેમકે પૂર્વે બંધાયેલ મતિજ્ઞાનાવરણીય કે જેનો અબાધાકાળ વીતી ગયો છે તેની દલરચના તો વિવક્ષિત સમયે બંધાયેલ મતિજ્ઞાનાવરણીયના અબાધાકાળમાં પણ હોય છે. તેથી જ જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે બંધાવલિકા પૂર્ણ થયા બાદ તેની પછીના સ્થિતિસ્થાનકને વિપાકોદય વડે અનુભવ કરતો આત્મા તે સમયથી આરંભી ઉદયાવલિકા ઉ૫૨નાં સઘળાં સ્થિતિસ્થાનકોની ઉદીરણા કરે છે અને ઉદીરીને અનુભવે છે. એટલે કે ઉત્કૃષ્ટ સ્થિતિનો જે સમયે બંધ થાય તે સમયથી આરંભી બંધાવલિકા જે સમયે પૂર્ણ થાય તેની પછીના સ્થાનકને રસોદયે અનુભવતો ઉદયાવલિકા ઉપરના બંધાવલિકા ઉદયાવલિકા હીન ઉત્કૃષ્ટ સ્થિતિના જેટલા સમયો થાય તે તમામ સ્થિતિસ્થાનકમાં રહેલા દલિકને યોગના પ્રમાણમાં ખેંચી તેને ઉદયાવલિકાનાં દલિકો સાથે મેળવી અનુભવે છે. આ પ્રમાણે હોવાથી ઉદયાવલિકા હીન શેષ સઘળી સ્થિતિની ઉદય અને ઉદીરણા તુલ્ય છે. કેમકે જેટલાં સ્થિતિસ્થાનોમાંથી દલિકો ખેંચ્યાં તે દરેકનો અનુભવ તો થવાનો જ છે તેથી તે સ્થાનકોની અપેક્ષાએ ઉદય ઉદીરણા તુલ્ય છે. માત્ર ઉદયમાં એક સ્થાનક વધારે છે. કેમકે જે સ્થિતિસ્થાનને અનુભવતો ઉદયાવલિકા ઉપરનાં સ્થાનકોની ઉદીરણા કરે છે. તે સ્થાનક ઉદયાવલિકા અંતર્ગત હોવાથી તેની ઉદીરણા થતી નથી. તેમાં તો માત્ર ઉદય જ પ્રવર્તે છે તેથી ઉત્કૃષ્ટ સ્થિતિની ઉદીરણાથી ઉત્કૃષ્ટ સ્થિતિનો ઉદય વૈદ્યમાન સમયમાત્ર સ્થિતિ વડે અધિક છે. એક સમય જ અધિક કહેવાનું કારણ આત્મા પ્રતિસમય ઉદયાવલિકામાંના એક એક સ્થાનકને જ અનુભવે તે છે. કોઈ કાળે આખી ઉદયાવલિકાનાં સ્થાનોને એક સાથે અનુભવતો ૧. બંધાવલિકા એટલે જે સમયે બંધ થાય તે સમયથી આરંભી આવલિકા જેટલો જે કાળ તે. ૨. ઉદયાવલિકા એટલે ઉદય સમયથી આરંભી એક આવલિકા પ્રમાણ કાળમાં ભોગવાય એવી જે દળરચના તે. જે સમયે કર્મ બંધાય તે સમયથી આરંભી એક આવલિકા પર્યંત તે બંધાયેલ કર્મમાં કોઈ કારણ પ્રવર્તતું નથી. તેમ જ ઉદય સમયથી આરંભી એક આવલિકાકાળમાં ભોગવવા યોગ્ય કર્મદલોમાં પણ કોઈ કરણ લાગતું નથી.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy