SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૨ પંચસંગ્રહ-૧ ગોત્રકર્મનો અજઘન્ય અને અનુકુષ્ટ બંને પ્રકારનો અનુભાગબંધ સાદિ અનાદિ ધ્રુવ અને અધુવ એમ ચાર ભાંગે છે, તે આ પ્રમાણે –ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ અનુભાગબંધ ક્ષેપકને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમ સમયે થાય છે, તે સમયમાત્ર થતો હોવાથી સાદિ સાંત છે. તે સિવાયનો અન્ય સઘળો અનુભાગ બંધ અનુકૂષ્ટ છે. તે અનુત્કૃષ્ટ રસબંધ ઉપશાંતમોહ ગુણસ્થાનકે થતો નથી, ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ અને ધ્રુવ-અધ્રુવ, અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ ઘટે છે. તથા ગોત્રકર્મનો જઘન્ય અનુભાગબંધ ઔપથમિક સમ્યક્ત ઉત્પન્ન કરતા સાતમી નરકપૃથ્વીના નારકીને અનિવૃત્તિકરણમાં અંતરકરણ કરીને મિથ્યાત્વની પ્રથમ સ્થિતિનો અનુભવ કરતા કરતા જ્યારે જ્યારે ક્ષય થાય ત્યારે તે પ્રથમ સ્થિતિના ચરમ સમયે નીચગોત્ર આશ્રયી થાય છે. તે એક સમયમાત્ર જ થતો હોવાથી સાદિ સાંત છે. તે સિવાયનો ઉત્કૃષ્ટ ન થાય ત્યાં સુધીનો સઘળો અનુભાગબંધ અજઘન્ય છે. તે અજઘન્ય રસબંધ ઔપથમિક સમ્યક્તનો લાભ થાય ત્યારે ઉચ્ચગોત્ર આશ્રયી પ્રવર્તે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓ આશ્રયી અનાદિ, અને ધ્રુવ, અદ્ભવ અભવ્ય અને ભવ્યની અપેક્ષાએ છે. તથા આ પૂર્વોક્ત સાતે કર્મના ઉક્તવ્યતિરિક્ત સઘળા વિકલ્પો સાદિ અને સાત એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે– વેદનીય અને નામકર્મનો ઉત્કૃષ્ટ અનુભાગબંધ સાદિ સાંત ભાંગે પહેલા વિચારાઈ ગયો છે. જઘન્ય અને અજઘન્ય મિથ્યાદષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિને વારાફરતી થાય છે. તે આ રીતે જ્યારે પરાવર્તમાન મધ્યમ પરિણામ થાય ત્યારે મિથ્યાદષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિને જઘન્ય અનુભાગ બંધ થાય છે. સંક્લિષ્ટ અથવા વિશુદ્ધ પરિણામ થાય ત્યારે અજઘન્ય થાય છે. આ પ્રમાણે ક્રમપૂર્વક થતા હોવાથી તે બંને સાદિ સાંત છે. ઘાતકર્મનો જઘન્ય અનુભાગબંધ સાદિ સાંત ભાંગે પહેલા વિચારી ગયા છે. ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ મિથ્યાદષ્ટિને અનુક્રમે થાય છે. જ્યારે સર્વ સંક્લિષ્ટ પરિણામ થાય ત્યારે ઉત્કૃષ્ટ અને મધ્યમ પરિણામ થાય ત્યારે અનુત્કૃષ્ટ રસબંધ થાય છે માટે તે બંને સાદિ સાંત ભાંગે છે. ગોત્રકર્મના જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બંને સાદિ સાંત ભાંગે વિચારાઈ ગયા છે. તથા આયુ કર્મ અધુવબંધિ હોવાથી તેના અજઘન્યરસબંધાદિ ચારે વિકલ્પ આશ્રયી સાદિ અને સાંત ભંગ સુપ્રસિદ્ધ છે. ૧૫ આ પ્રમાણે મૂળ કર્મ આશ્રયી સાદ્યાદિ પ્રરૂપણા કરી. હવે ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી કરવા ઇચ્છતા કહે છે– सुभधुवियाणणुक्कोसो चहा अजहन्न असुभधुवियाणं । साई अधुवा सेसा चत्तारिवि अधुवबंधीणं ॥६६॥ शुभध्रुवबन्धिनीनामनुत्कृष्टः चतुर्दाऽजघन्योऽशुभध्रुवबन्धिनीनाम् । साद्यधुवाः शेषाः चत्वारोऽप्यध्रुवबन्धिनीनाम् ॥६६॥
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy