SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમહાર ૫૨૫ • एकादश द्वादशाशीतिः एकचतुःपञ्चाधिका च चतुर्नवतिः । अत: चतुर्दशाधिकं शतं पञ्चविंशाच्च षट्चत्वारिंशत् ॥२१॥ द्वात्रिंशं नास्ति शतं एवमष्टचत्वारिंशत् सत्तास्थानानि ॥ योग्यघातिचतुष्के भण क्षिप्त्वा घातिसत्तास्थानानि ॥२२॥ અર્થ–અગિયાર, બાર, એંશી તથા એક, ચાર અને પાંચ અધિક એંશી, ચોરાણું અને ત્યારપછી એકસો ચૌદ પર્યત સઘળા તથા એકસો પચીસથી આરંભી એકસો છેતાળીસ સુધીના સઘળા, વચમાં એકસો બત્રીસનું સત્તાસ્થાનક નથી. કુલ અડતાળીસ સત્તાસ્થાનકો છે, સયોગીકેવળીના અઘાતિકર્મનાં ચાર સત્તાસ્થાનોમાં ઘાતિકર્મનાં સત્તાસ્થાનકો ઉમેરી ઉપરોક્ત સત્તાસ્થાનકો કહેવાં. ટીકાનુ–સામાન્યતઃ સઘળી ઉત્તર પ્રવૃતિઓના અડતાળીસ સત્તાસ્થાનો થાય છે. તે આ પ્રમાણેઅગિયાર, બાર, એંશી તથા અહીં પણ એંશીનો સંબંધ હોવાથી એક, ચાર અને પાંચ અધિક એશી એટલે કે એકયાશી, ચોરાશી અને પંચાશી, તથા ચોરાણુંથી આરંભી એક એક અધિક કરતાં એકસો ચૌદ સુધીનાં સઘળાં, તે આ પ્રમાણે ચોરાણું, પંચાણું, છનું, સત્તાણું, અઠ્ઠાણું, નવાણું, સો, એકસો એક, એકસો બે, એકસો ત્રણ, એકસો ચાર, એકસો પાંચ, એકસો છે, એકસો સાત, એકસો આઠ, એકસો નવ, એકસો દસ, એકસો અગિયાર, એકસો બાર, એકસો તેર અને એકસો ચૌદ તથા એકસો પચીસથી આરંભી વચમાં એકસો બત્રીસ વર્જીને એકસો છેતાળીસ સુધીનાં સઘળાં, તે આ પ્રમાણે–એકસો પચીસ, એકસો છવ્વીસ, એકસો સત્તાવીસ, એકસો અઠ્યાવીસ, એકસો ઓગણત્રીસ, એકસો ત્રીસ, એકસો એકત્રીસ, એકસો તેત્રીસ, એકસો ચોત્રીસ, એકસો પાંત્રીસ, એકસો છત્રીસ, એકસો સાડત્રીસ, એકસો આડત્રીસ, એકસો ઓગણચાળીસ, એકસો ચાળીસ, એકસો એકતાળીસ, એકસો બેતાળીસ, એકસો તેતાળીસ, એકસો ચુંમાળીસ, એકસો પિસ્તાળીસ અને એકસો છેતાળીસ. સરવાળે અડતાળીસ સત્તાસ્થાનો થાય છે. આ પ્રમાણે–૧૧-૧૨-૮૦-૮૧-૮૪-૮૫-૯૪-૯૫-૯૬-૯૭૯૮-૯૯-૧૦૦-૧૦૧-૧૦૨-૧૦૩-૧૦૪-૧૦૫-૧૦૬-૧૦૭-૧૦૮-૧૦૯-૧૧૦-૧૧૧-૧૧૨૧૧૩-૧૧૪-૧૨૫-૧૨૬-૧૨૭-૧૨૮-૧૨૯-૧૩૦-૧૩૧-૧૩૩-૧૩૪-૧૩૫-૧૩૬-૧૩૭૧૩૮-૧૩૯-૧૪૦-૧૪૧-૧૪૨-૧૪૩-૧૪૪-૧૪પ-૧૪૬. આ સત્તાસ્થાનોનું જે રીતે જ્ઞાન થાય તે રીતે કહે છે સયોગી કેવળીની અઘાતિપ્રકૃતિ સંબંધી એંશી આદિ જે ચાર સત્તાસ્થાનો છે તેમાં ઘાતિકર્મ સંબંધી સત્તાસ્થાનો અનુક્રમે ઉમેરીને અડતાળીસે સત્તાસ્થાનો શિષ્યોને કહેવાં. હવે એ જ કથનનો વિચાર કરે છે– સામાન્ય કેવળી મહારાજને અયોગી ગુણસ્થાનકના ચરમ સમયે અગિયાર પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. તે જ સમયે તીર્થકર ભગવાનને બાર પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. તે બાર પ્રકૃતિઓ આ છે–મનુષ્યાય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસનામ, બાદરનામ, પર્યાપ્તનામ, સુભગ, આદેય, યશકીર્તિ, તીર્થકર, અન્યતર વેદનીય અને ઉચ્ચગોત્ર. આ જ બાર પ્રકૃતિઓ
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy