SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૦ પંચસંગ્રહ-૧ ઓગણીસમી ગાથામાં જે ઉદયસ્થાનકો કહ્યાં તેમાં ભૂયસ્કાર અને અલ્પતરની સંખ્યા સકારણ આ ગાથામાં કહે છે— भूयप्पयरा इगिचउवीसं जन्नेइ केवली छउमं । अजओ य केवलित्तं तित्थयरियर व अन्नोन्नं ॥२०॥ भूयस्काराल्पतरा एकचतुर्विंशतिर्यस्मात् न एति केवल छद्म । अतश्च केवलित्वं तीर्थकरेतरौ वाऽन्योन्यम् ॥२०॥ અર્થપૂર્વોક્ત છવ્વીસ ઉદયસ્થાનકોમાં ભૂયસ્કાર અને અલ્પતર અનુક્રમે એકવીસ અને ચોવીસ છે. કારણ કે કૈવળી છદ્મસ્થનાં ઉદયસ્થાનોને પ્રાપ્ત કરતો નથી. તેમ જ અવિરતિ કેવળીપણાનાં ઉદયસ્થાનોને પ્રાપ્ત કરતો નથી. એ જ પ્રમાણે તીર્થંકર સામાન્યકેવળીના અને સામાન્યકેવળી તીર્થંકરના ઉદયસ્થાનકોને પ્રાપ્ત કરતા નથી. ટીકાનુ—પૂર્વોક્ત છવ્વીસ ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારોદય એકવીસ છે અને અલ્પતરોદય ચોવીસ, છે, બેમાંના એક પણ ઉક્ત સંખ્યાથી અધિક નથી. કારણ કે કેવળી ભગવાન છદ્મસ્થના ઉદયને પ્રાપ્ત કરતા નથી, અવિરતિ સમ્યગ્દષ્ટિ કેવળજ્ઞાનીનાં ઉદયસ્થાનકોમાં જતા નથી, તેમ જ સામાન્ય કેવળી અને તીર્થંકરો એકબીજાના ઉદયસ્થાનકે જતા નથી માટે પૂર્વે જે સંખ્યા કહી તેટલા જ ભૂયસ્કાર અને અલ્પતરોદય છે. આ કથનનું તાત્પર્ય આ છે— કેવળી ભગવાન છદ્મસ્થનાં ઉદયસ્થાનોમાં જતા નથી. જો જાય તો ચુંમાળીસનું ઉદયસ્થાનક ભૂયસ્કારરૂપે થાય અને તેમ થવાથી તેની સંખ્યા વધે પરંતુ તેમ થતું નહિ હોવાથી ભૂયસ્કારની સંખ્યામાં વધારો થતો નથી. એ પ્રમાણે અતીર્થંકર તીર્થંકરના ઉદયને અને અયોગી કેવળી સયોગીકેવળીના ઉદયને પ્રાપ્ત કરતા નથી. માટે અગિયાર, બાર, ત્રેવીસ, ચોવીસ અને ચુંમાળીસ એ પાંચ ઉદયસ્થાનકો ભૂયસ્કારોદયરૂપે સંભવતાં નથી. પરંતુ શેષ એકવીસ ઉદયસ્થાનકો જ ભૂયસ્કારોદયરૂપે સંભવે છે. તથા અવિરતિ સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ કેવળી ભગવાનનાં ઉદયસ્થાનકોને પ્રાપ્ત કરતા નથી માટે ચોત્રીસના ઉદયરૂપ અલ્પતરોદય ઘટી શકતો નથી. પ્રશ્ન—ચોત્રીસનો ઉદય સ્વભાવસ્થ તીર્થંકર કેવળીને હોય છે. તેથી જ્યારે તીર્થંકર થનારા આત્મા કેવળીપણાને પ્રાપ્ત કરે, અને ચુંમાળીસ આદિ કોઈપણ ઉદય સ્થાનેથી ચોત્રીસના ઉદયે જાય ત્યારે ચોત્રીસના ઉદયરૂપ અલ્પતર સંભવે છે તો પછી શા માટે ચોત્રીસના અલ્પતરનો નિષેધ કર્યો ? ઉત્તર—વસ્તુસ્વરૂપનું અજ્ઞાન હોવાથી ઉપરોકત શંકા અયોગ્ય છે, કારણ કે કેવળીપણાને સઘળા આત્માઓ ગુણસ્થાનકના ક્રમે પ્રાપ્ત કરે છે. સીધા ચોથા પાંચમાથી તેરમે સુડતાળીસના ઉદયસ્થાનકે જાય નહિ તેથી તેની અપેક્ષાએ અલ્પતર ન ઘટે તેમ લાગે છે, પરંતુ છેતાળીસના ઉદયવાળા મિથ્યાત્વીને ભય, જુગુપ્સા વધે એટલે અડતાળીસનો ઉદય થાય તેમાંથી ભય કે જુગુપ્સા કોઈપણ એક ઘટવાથી સુડતાળીસનું અલ્પતર થાય. આ રીતે સુડતાળીસનું અલ્પતર સંભવે છે.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy