________________
૨૪
પંચસંગ્રહ-૧
પરિપક્વ થાય છે. આ જ હેતુથી હરિભદ્રસૂરિ મહારાજે ધર્મસાર પ્રકરણમાં કહ્યું છે કે આ તથાભવ્યત્વ સાધ્ય વ્યાધિ સમાન છે તેથી તથા પ્રકારના અરિહંતના બિંબની પૂજા દર્શનાદિક તથાભવ્યત્વના પરિપાકમાં હેતુરૂપે થઈને સમ્યક્તનું પણ કારણ થાય છે. ભગવાન અરિહંતના બિંબની પૂજા દર્શન અને પ્રવચનાર્થનું શ્રવણ તથાભવ્યત્વના પરિપાકમાં હેતુ થાય છે, અને તથાભવ્યત્વનો પરિપાક થયા બાદ તે જ પૂજા દર્શનાદિ સમ્યક્તનું પણ કારણ થાય છે. વળી પૂર્વપક્ષીએ “પૂજા દર્શનાદિ સામગ્રી છતાં પણ સમ્યક્ત ઉત્પન્ન થતું નથી માટે તે સમ્યક્તનું કારણ નથી” એ જે કહ્યું છે તે પણ અયોગ્ય છે. કારણ કે જેના ભવ્યત્વનો પરિપાક થયો છે તેને જ અરિહંતના બિંબની પૂજા દર્શનાદિ સમ્યક્તના હેતુરૂપે થાય છે, એમ શાસ્ત્રમાં સ્વીકારેલ છે. પરંતુ જ્યાં સુધી તથાભવ્યત્વનો પરિપાક થયો હોતો નથી ત્યાં સુધી તે દર્શનાદિ સમ્યક્તના હેતુરૂપે સ્વીકાર્યા નથી. તથાભવ્યત્વનો એવા જ પ્રકારનો અનાદિ પારિણામિક સ્વભાવ છે કે જે વડે વિવક્ષિત ક્ષેત્ર અને કાળનો સદ્ભાવ થાય ત્યારે ભગવાન અરિહંતના બિંબની પૂજા દર્શનાદિની અપેક્ષાએ તે તથાભવ્યત્વનો પરિપાક થાય છે અને સમ્યક્તની ઉત્પત્તિમાં હેતુ થાય છે. આ રીતે તથાભવ્યત્વનો પરિપાક સમ્યક્તની ઉત્પત્તિમાં મૂળ કારણ છે અને પૂજા દર્શનાદિ સહકારિ કારણ છે. તેથી અહીં કંઈ દોષ નથી. એટલું જ કહેવું બસ છે. તે સમ્યક્ત ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે–૧. ક્ષાયિક, ૨. ક્ષાયોપથમિક, ૩. ઔપશમિક. તેમાં ત્રણ પ્રકારના દર્શન-મોહનીયના સર્વથા ક્ષયથી જે ઉત્પન્ન થાય તે ક્ષાયિક, દર્શનમોહનીયનો ક્ષય અનંતાનુબંધીના ક્ષય થયા વિના થતો નથી માટે તે અનંતાનુબંધીનો ક્ષય પણ અહીં લેવાનો છે. તથા ઉદયપ્રાપ્ત મિથ્યાત્વના ક્ષયથી અને ઉદય અપ્રાપ્તના ઉપશમથી એટલે કે સમ્યક્ત સ્વરૂપપણાની પ્રાપ્તિરૂપ રોકાયેલ (મિથ્યાત્વ)ના ઉદયિત્વ સ્વરૂપથી થયેલ જે તત્ત્વરુચિ તે ક્ષાયોપથમિક સમ્યક્ત. તથા ઉદયમાં આવેલા મિથ્યાત્વના ક્ષયથી અને ઉદયમાં નહિ આવેલા મિથ્યાત્વના રસોદય અને પ્રદેશોદય સ્વરૂપ બંને પ્રકારના ઉદયના રોકવાથી થયેલ જે તત્ત્વરુચિ તે ઔપથમિક સમ્યક્ત. સમ્યક્તના ગ્રહણથી તેના પ્રતિપક્ષભૂત મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્રનું પણ ગ્રહણ કર્યું છે, તેઓનું સ્વરૂપ ગુણસ્થાનકના સ્વરૂપના કથન પ્રસંગે વર્ણવશે આ પ્રમાણે સમ્યક્ત માર્ગણાનું સ્વરૂપ કહ્યું. તથા જે દ્વારા પૂર્વાપરનો વિચાર કરી શકાય તે સંજ્ઞા-મનવાળા આત્માઓ સંજ્ઞી, અને તેના પ્રતિપક્ષ–મન વિનાના સઘળા એકેન્દ્રિયાદિ જીવો અસંજ્ઞી. સંજ્ઞીના પ્રહણથી તત્પતિપક્ષ અસંજ્ઞીનું પણ ગ્રહણ કર્યું છે. તથા ઓજાહાર, લોમાહાર, અને કવલાહાર આ ત્રણમાંથી કોઈપણ જાતનો આહાર કરે તે આહારી, અને આ ત્રણમાંથી એક પણ જાતનો આહાર ન કરે તે અણાહારી કહેવાય છે. આહારીના ગ્રહણથી તત્કૃતિપક્ષ અણાહારી પણ ગ્રહણ કરાયા છે.
આ પ્રમાણે ચૌદ માર્ગણાસ્થાનનું સ્વરૂપ કહ્યું. હવે તેમાં કોઈ સ્થળે નિષેધદ્વારા, અને કોઈ સ્થળે વિધાનદ્વારા યોગો કહેવા ઇચ્છતા નીચેની ગાથા કહે છે–
૧. ત્રણે પ્રકારના સમ્યક્તનું વિશેષ સ્વરૂપ ઉપશમના કરણમાં આવશે ત્યાંથી જોઈ લેવું.
૨. જે અનંતાનુબંધિ ચાર સત્તામાં ન હોય તો મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય એ બેના અને જો અનંતાનુબંધિ ચાર સત્તામાં હોય તો તે ચાર સહિત મિથ્યાત્વ તથા મિશ્ર મોહનીય એમ છના પ્રદેશોદયથી તથા ઉપશમ સમ્યક્વરૂપ વિશુદ્ધિ વડે શુદ્ધ કરાયેલ મિથ્યાત્વ મોહનીયના દલિકરૂપ સમ્પર્વ મોહનીયના રસોદયથી થયેલ જે તત્ત્વરચિ તે લાયોપથમિક સમ્યક્ત કહેવાય છે.