SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થદ્વાર ४39 કષાયના સ્થાને ચાર અને યોગના સ્થાને બે. ર-૪-૧-૨-૪-૧ મૂકવા. હવે આ અંકોનો ગુણાકાર આ પ્રમાણે કરવો–ચારે ઇન્દ્રિયની અવિરતિ એક એક યુગલના ઉદયવાળાને હોય છે માટે બે યુગલ સાથે ગુણવા એટલે આઠ ૮ થાય. તે આઠે ક્રોધાદિ કોઈપણ એક એકના ઉદયવાળા હોય છે માટે આઠને ચારે ગુણતાં બત્રીસ ૩૨ થાય, તે બત્રીસ એક એક યોગવાળા હોય છે માટે તેને બેએ ગુણતાં ચોસઠ ૬૪ થાય. આટલા અપર્યાપ્ત ચતુરિન્દ્રિયના સાસ્વાદન ગુણઠાણે પંદર બંધહેતુના ભાંગા થાય. તે પંદરમાં ભય મેળવતાં સોળ થાય, તેના પણ ચોસઠ ૬૪ ભાંગા થાય. એ રીતે જુગુપ્સા મેળવતાં પણ સોળ બંધહેતુના ચોસઠ ૬૪ ભાંગા થાય. તથા ભય અને જુગુપ્સા બંને મેળવતાં સત્તર બંધહેતુ થાય, તેના પણ ચોસઠ ૬૪ ભાંગા થાય. સઘળા મળી ચઉરિન્દ્રિય અપર્યાપ્તાના સાસ્વાદન ગુણઠાણે બંધહેતુના બસો છપ્પન ૨પ૬ ભાંગા થાય. તથા મિથ્યાષ્ટિ અપર્યાપ્ત ચઉરિન્દ્રિયને જઘન્યપદે પૂર્વોક્ત પંદર હેતુમાં મિથ્યાત્વમોહનીય ઉમેરવાથી સોળ બંધહેતુ થાય છે. અહીં યોગો કાર્પણ ઔદારિકમિશ્ર અને ઔદારિક એમ ત્રણ હોય છે. કારણ કે અહીં શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઔદારિકકાયયોગ ઘટે છે. એટલે યોગના સ્થાને ત્રણ મૂકી પૂર્વવત્ અંકોનો ગુણાકાર કરતાં છનું ૯૬ ભાંગા થાય. તે સોળમાં ભય મેળવતાં સત્તર હેતુ થાય, તેના પણ છનું ભાંગા થાય. એ રીતે જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ છ ૯૬ ભાંગા થાય. ભય અને જુગુપ્સા બન્ને મેળવતાં અઢાર હેતુ થાય, તેના પણ છનું ભાંગા થાય. સઘળા મળી અપર્યાપ્ત ચઉરિન્દ્રિય મિથ્યાષ્ટિના ત્રણસો ચોરાશી ૩૮૪ ભાંગા થાય. પર્યાપ્ત ચઉરિન્દ્રિયને જઘન્યપદે સોળ બંધહેતુઓ હોય છે, તે આ પ્રમાણે–એક મિથ્યાત્વ, છ કાયનો વધ, ચાર ઇન્દ્રિયની અવિરતિમાંથી કોઈપણ એક ઇન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક યુગલ, અનંતાનુબંધી ક્રોધાદિમાંથી કોઈપણ ક્રોધાદિ ચાર કષાય, નપુંસકવેદ અને ઔદારિક કાયયોગ તથા અસત્ય અમૃષા વચનયોગ એ બે યોગમાંથી એક યોગ. અંકસ્થાપના આ પ્રમાણે–મિથ્યાત્વના સ્થાને એક, કાયસ્થાને એક ઇન્દ્રિયની અવિરતિના સ્થાને ચાર, યુગલના સ્થાને બે, કષાયના સ્થાને ચાર, વેદના સ્થાને એક અને યોગના સ્થાને બે. ૧-૧-૪-૨-૪-૧-૨. ક્રમશઃ અંકોનો ગુણાકાર કરતાં સોળ બંધહેતુના ચોસઠ ૬૪ ભાંગા થાય. તે સોળમાં ભંગ મેળવતાં સત્તર થાય, તેના પણ ચોસઠ ૬૪ ભાંગા થાય. જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ ચોસઠ ૬૪ ભાંગા થાય. ભય અને જુગુપ્સા બંને મેળવતાં અઢાર હેતુ થાય તેના પણ ચોસઠ ૬૪ ભાંગા થાય. આ પ્રમાણે ચરિન્દ્રિય પર્યાપ્ત મિથ્યાષ્ટિના બંધહેતુના બસો છપ્પન ૨૫૬ ભાંગા થાય.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy