SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થદ્વાર ૪૨૫ સ્થાને પાંચ કાયના ક્રિકસંયોગી દશ ભંગ થતા હોવાથી દશ ભાંગા મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં તેર હજાર અને બસો ૧૩૨૦૦ ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા અને બે કાયનો વધ મેળવતાં દશ બંધહેતુના તેર હજાર અને બસો ૧૩૨૦૦ ભાંગા થાય. અથવા ભય અને જુગુપ્સા મેળવતાં પણ દશ બંધહેતુ થાય. તેના પૂર્વવત છાસક્સો ૬૬૦૦ ભાંગા થાય. આ પ્રમાણે દશ બંધહેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા છેતાળીસ હજાર અને બસો ૪૬૨૦૦ થાય. દશ બંધહેતુના ભાંગા કહ્યા. હવે અગિયાર બંધહેતુના ભાંગા કહે છે તે પૂર્વોક્ત આઠ બંધહેતુમાં ચાર કાયનો વધ લેતાં અગિયાર થાય. પાંચ કાયના ચતુષ્ક સંયોગી પાંચ ભાંગા થતા હોવાથી કાયની હિંસાના સ્થાને પાંચ મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં છાસઠસો ૬૬૦૦ ભાંગા થાય. અથવા ત્રણ કાયનો વધ અને ભય મેળવતાં અગિયાર થાય. અહીં કાયની હિંસાના સ્થાને દશ મૂકવા. તેના પૂર્વવત્ તેર હજાર અને બસો ૧૩૨૦૦ ભાંગા થાય. - એ પ્રમાણે ત્રણ કાયનો વધ અને જુગુપ્સા મેળવતાં અગિયાર હેતુના પણ તેર હજાર અને બસો ૧૩૨૦૦ ભાંગા થાય. અથવા ભય, જુગુપ્સા અને બે કાયનો વધ મેળવતાં પણ અગિયાર થાય. અહીં પણ કાયની હિંસાના સ્થાને દશ જ મૂકવા. તેના પૂર્વવત્ તેર હજાર અને બસો ૧૩૨૦૦ ભાંગા થાય. - આ રીતે અગિયાર હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા છેતાળીસ હજાર અને બસો ૪૬૨૦૦ થાય. અગિયાર બંધહેતુ કહ્યા. હવે બાર હેતુ કહે છે તે પૂર્વોક્ત આઠ હેતુમાં પાંચ કાયની હિંસા ગ્રહણ કરતાં બાર હેતુ થાય, પાંચ કાયનો પંચસંયોગી એક જ ભંગ થતો હોવાથી કાયની હિંસાના સ્થાને તે એક મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોને ગુણતાં તેરસો અને વીસ ૧૩૨૦ ભાંગા થાય. અથવા ચાર કાયનો વધ અને ભય મેળવતાં બાર થાય. અહીં પાંચ કાયના ચતુષ્ક સંયોગી પાંચ ભંગ થતા હોવાથી કાયની હિંસાના સ્થાને પાંચ મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં છાસઠસો ૬૬૦૦ ભાંગા થાય. એ પ્રમાણે જુગુપ્સા અને ચાર કાયનો વધ મેળવતાં બાર હેતુના પણ છાસઠસો ૬૬00 ભાંગા થાય. અથવા ત્રણ કાયનો વધ, ભય ને જુગુપ્સા મેળવતાં પણ બાર હેતુ થાય. પાંચ કાયના ત્રિકસંયોગે દશ ભંગ થતા હોવાથી કાયની હિંસાના સ્થાને દશ મૂકી પૂર્વોક્ત ક્રમે અંકોનો ગુણાકાર કરતાં તેર હજાર અને બસો ભાંગા થાય. આ પ્રમાણે બાર હેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા સત્તાવીસ હજાર સાતસો અને વીસ ૨૭૭૨૦ થાય. બાર બંધહેતુ કહ્યા. - હવે તેર બંધહેતુ વિચારે છે–પૂર્વોક્ત આઠ બંધહેતુમાં પાંચ કાયનો વધ અને ભય પંચ૦૧-૫૪
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy