SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ પંચસંગ્રહ-૧ કાયનો વધ, પાંચ ઇન્દ્રિયની અવિરતિમાંથી કોઈ પણ એક ઇન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક યુગલ, ત્રણ વેદમાંથી કોઈ પણ એક વેદ, અપ્રત્યાખ્યાનાવરણીય કષાયના ઉદયનો અહીં અભાવ હોવાથી પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલનના કોઈ પણ ક્રોધાદિ બે કષાય, અને અગિયાર યોગમાંથી કોઈ પણ એક યોગ એમ એક સમયે એક જીવને આઠ બંધ હેતુ હોય છે. તથા પાંચ કાયના એક એક સંયોગે પાંચ ભાંગા થાય છે. માટે કાયની હિંસાને સ્થાને પાંચ સ્થાપવા, તેમજ ઇન્દ્રિયની અવિરતિના સ્થાને પાંચ, યુગલના સ્થાને બે, વેદના સ્થાને ત્રણ, કષાયના સ્થાને ચાર અને યોગના સ્થાને અગિયાર ૧૧-૪-૩-ર-પ-પ મૂકી અંકોનો ગુણાકાર કરતાં એક સમયે અનેક જીવ આશ્રયી ભાંગા ઉત્પન્ન થાય છે. ગુણાકાર આ પ્રમાણે કરવો–કોઈ પણ ઇન્દ્રિયની અવિરતિવાળા કોઈપણ કાયનો વધ કરનારા હોય છે. માટે પાંચ ઇન્દ્રિયની અવિરતિ સાથે પાંચ કાયને ગુણતાં પચીસ થાય, તે પચીસ હાસ્ય-રતિના ઉદયવાળા અને બીજા પચીસ શોક-અરતિના ઉદયવાળા હોય છે, માટે પચીસને બે યુગલ સાથે ગુણતાં પચાસ થાય, તે પચાસ પુરુષ વેદના ઉદયવાળા બીજા પચાસ સ્ત્રીવેદના અને ત્રીજા પચાસ નપુંસક વેદના ઉદયવાળા હોય છે. માટે પચાસને ત્રણ વેદ સાથે ગુણતાં એકસો પચાસ ૧૫૦ ભાંગા થાય. તે એકસો પચાસ ક્રોધ કષાયી બીજા તેટલા જ માન કષાયી તેટલા જ માયા અને તેટલા જ લોભ કષાયી હોય છે. માટે એકસો પચાસને ચાર કષાય સાથે ગુણતાં છસો ભંગ થાય, તે છસો સત્યમનોયોગી બીજા છસો અસત્યમનોયોગી એ પ્રમાણે અગિયાર યોગો તેઓને હોવાથી છસો ને અગિયાર યોગો સાથે ગુણતાં છાસક્સો ૬૬૦૦ ભાંગા થાય. આ રીતે આઠનો બંધહેતુ એક સમયે અનેક જીવો આશ્રયી છાસઠસે પ્રકારે થાય છે. આઠ બંધહેતુના ભાંગા કહ્યા. હવે નવ હેતુના કહે છે–તે આઠ બંધહેતુમાં બે કાયનો વધ ગ્રહણ કરતાં નવ બંધહેતુ થાય. પાંચ કાયના ક્રિકસંયોગે દશ ભંગ થાય, માટે કાયવવસ્થાને દશ મૂકી ક્રમશઃ અંકોનો ગુણાકાર કરતાં તેર હજાર અને બસો ૧૩૨૦૦ ભાંગા થાય. અથવા ભય મેળવતાં પણ નવ થાય. અહીં તો કાયવધસ્થાને પાંચ જ મૂકતાં તેના ભાંગા પૂર્વવત્ છાસઠસો ૬૬00 થાય. એ પ્રમાણે જુગુપ્સા મેળવતાં નવ બંધહેતુના પણ છાસઠસો ૬૬00 ભાંગા થાય. આ પ્રમાણે નવ બંધહેતુ ત્રણ પ્રકારે થાય. તેના કુલ ભાંગા છવ્વીસ હજાર અને ચારસો ૨૬૪૦૦ થાય. નવ બંધહેતુઓ કહ્યા. હવે દશ બંધહેતુઓ કહે છે તે પૂર્વોક્ત આઠ બંધહેતુમાં ત્રણ કાયનો વધ લેતાં દશ હેતુ થાય, પાંચ કાયના ત્રિકસંયોગે દશ ભાંગા થાય. માટે કાયની હિંસાને સ્થાને દશનો આંક મૂકી પૂર્વોક્ત ક્રમે ગુણાકાર કરતાં તેર હજાર અને બસો ૧૩૨૦૦ ભંગ થાય. • અથવા બે કાયનો વધ અને ભય મેળવતાં પણ દશ થાય. અહીં પણ કાયની હિંસાના
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy