________________
૧૬
પંચસંગ્રહ-૧
શ્રુતઅજ્ઞાન અને અચક્ષુર્દર્શન એ ત્રણ ઉપયોગી હોય છે. અહીં અપર્યાપ્તા તે લબ્ધિ અપર્યાપ્તા. સમજવા, અન્યથા કરણઅપર્યાપ્ત ચઉરિન્દ્રિયાદિમાં ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ચક્ષુદર્શન પણ હોય છે. કારણ કે મૂળ ટીકામાં–સ્વોપજ્ઞટીકામાં આચાર્ય મહારાજે સ્વીકાર્યું છે. કરણઅપર્યાપ્ત સંજ્ઞીને તો મતિ-શ્રુત-અવધિજ્ઞાન, અવધિદર્શન અને વિર્ભાગજ્ઞાન પણ હોય છે. તથા પર્યાપ્ત ચઉરિન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિયમાં ચક્ષુર્દર્શન સાથે પૂર્વોક્ત ત્રણ મળી મતિ શ્રુત અજ્ઞાન અને ચક્ષુ અચક્ષુદ્ર્શન એમ ચાર ઉપયોગ હોય છે અને સંજ્ઞી પર્યાપ્તામાં બારે ઉપયોગી હોય છે. તેમાં દેવગતિઆદિ ત્રણ ગતિમાં કેવળજ્ઞાન કેવળદર્શન અને મન:પર્યવજ્ઞાન વિના નવ ઉપયોગ હોય છે. માત્ર મનુષ્યગતિમાં જ બારે ઉપયોગી હોય છે. ૮.
આ પ્રમાણે જીવસ્થાનોમાં યોગ અને ઉપયોગી વિચાર્યા. હવે માર્ગણાસ્થાનોમાં તેઓને વિચારવા જોઈએ. તે માર્ગણાસ્થાનો આ પ્રમાણે છે. તે કહે છે–
गइइंदिए अ काए जोए वेए कसायनाणे य ।
संजमदंसणलेसा भवसम्मे सन्नि आहारे ॥२१॥ આ ગાથા આચાર્ય મહારાજ સ્વયમેવ આગળ ઉપર કહેશે પરંતુ અહીં જો તેનું વ્યાખ્યાન કરવામાં આવ્યું હોય તો ઉપકારક થાય તેમ હોવાથી તેનું અહીં વ્યાખ્યાન કરે છે–કર્મપ્રધાન જીવ વડે જે પ્રાપ્ત કરાય તે એટલે કે નરક દેવ આદિ પર્યાયરૂપે આત્માનો જે પરિણામ તે ગતિ. તે ચાર પ્રકારે છે–નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ. તથા “ટુ પઐશ્વ રૂદ્નતિઃ ' રૂદ્ ધાતુ પરમ ઐશ્વર્યવાળા હોવું એ અર્થમાં છે. પરમ ઐશ્વર્ય જેનામાં હોય તે ઇંદ્ર કહેવાય. આત્મામાં જ ઉત્કૃષ્ટ જ્ઞાન અને ઉત્કૃષ્ટ સાથ્યનો યોગ હોવાથી તે જ ઈન્દ્ર છે. તેનું જે ચિહ્ન તે ઇન્દ્રિય કહેવાય છે. તે સ્પર્શન, રસન, નાસિક, ચક્ષુ, અને શ્રોત્ર એમ પાંચ પ્રકારે છે. ઇન્દ્રિયના ગ્રહણ વડે ઇન્દ્રયોવાળા એકેન્દ્રિયાદિ જીવો ગ્રહણ કરવાના છે, કારણ કે ઇન્દ્રિય કોઈ સ્વતન્ત્ર વસ્તુ નથી. વળી આગળ ઇન્દ્રિયવાનું આત્માઓમાં જ યોગાદિનો વિચાર કરવામાં આવશે. “વીય તિ કાય:' પુદ્ગલના મળવા વિખરવા વડે જે ચય અપચય. ધર્મને પ્રાપ્ત કરે તે કાય. તે છ પ્રકારે છે–પૃથ્વી કાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, અને ત્રસકાય, તથા જેનો અર્થ અને જેના પંદર ભેદનું સ્વરૂપ પહેલાં સવિસ્તાર કહેવાઈ ગયું છે તે યોગના સામાન્યથી ત્રણ ભેદ છે. મનોયોગ, વચનયોગ, અને કાયયોગ. વૈદ્યતે રૂતિ વેઃ ' જે અનુભવાય તે વેદ. એ અભિલાષારૂપ છે. તે ત્રણ પ્રકારે છે : સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદ. સ્ત્રીનો પુરુષના વિષયમાં જે અભિલાષ તે સ્ત્રીવેદ, પુરુષનો સ્ત્રીના વિષયમાં જે અભિલાષ તે પુરુષવેદ, અને નપુંસકનો સ્ત્રીપુરુષ બંનેના વિષયમાં જે અભિલાષ તે નપુંસકવેદ. ‘ષ્યને હિંચને પરસ્પરસ્મિન પ્રાનિ ત ષ: સંસાર: તમયને પતિ ઋષય:, જેની અંદર પ્રાણીઓ પરસ્પર દંડાય–દુઃખી થાય તે સંસાર. તે સંસારને જે વડે આત્માઓ પ્રાપ્ત કરે–જે વડે સંસારમાં રખડે, દુઃખી થાય તે કષાય. તે ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકારે છે. તથા પહેલાં જેના
૨. રાપર્યાપfધ્વન્દ્રિયસૌ સત્યાં તેષાં વધુર્શન પતિ કરણ અપર્યાપ્તાઓને ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ચક્ષુદર્શન હોય છે.