SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીયદ્વાર ૩૪૩ ઉદય સાથે જ થતો હોય તેઓ સમકવ્યવચ્છિદ્યમાનબંધોદયા, પહેલા બન્ધ અને પછી ઉદય એમ ક્રમપૂર્વક જેઓનો બંધ ઉદય વિચ્છિન્ન થતો હોય તે ક્રમવ્યવદ્યિમાનબંધોદયા અને પહેલા ઉદય અને પછી બંધ એ પ્રમાણે ઉત્ક્રમથી જેઓનો બંધ ઉદય જતો હોય તે ઉત્ક્રમવ્યવચ્છિદ્યમાનબંધોદયા કહેવાય. આ ત્રણે પ્રકારની પ્રકૃતિઓને ગાથામાં મૂકેલ ઉભ, બંધ અને ઉદય એ શબ્દ વડે ક્રમપૂર્વક ગ્રહણ કરેલ છે. આ રીતે પણ પ્રકૃતિઓ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે—સાંતરબંધિ, ઉભયબંધિ અને નિરન્તરબંધિ. એ ત્રણેનું સ્વરૂપ આચાર્ય મહારાજ આગળ કહેશે. તથા પ્રકૃતિઓ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે—ઉદયસંક્રમોત્કૃષ્ટ, અનુદયસંક્રમોત્કૃષ્ટ, ઉદય બંધોત્કૃષ્ટ અને અનુદય બંધોત્કૃષ્ટ. તથા પ્રકૃતિઓ બે પ્રકારે છે. તે આ પ્રમાણે—ઉદયવતી અને અનુદયવતી. ઉપરોક્ત ચાર તથા બે ભેદ એ દરેકનું સ્વરૂપ સ્વયમેવ આચાર્ય મહારાજ આગળ કહેશે. આ સઘળી પ્રકૃતિઓ અનુક્રમે ત્રણ, ત્રણ, ત્રણ, ચાર અને બે ભેદે છે તેઓને તે પ્રકારે કહી ગયા છે. ૧-૨ હવે આ સઘળા ભેદવાળી પ્રકૃતિઓને અનુક્રમે કહેવી જોઈએ. તેમાં પહેલા સ્વાનુદયબંધિ આદિ ત્રણ ભેદને કહેવા ઇચ્છતાં આ ગાથા કહે છે— देवनिरयाउवेउव्विछक्क आहारजुयलतित्थाणं । बंधो अणुदयकाले धुवोदयाणं तु उदयम्मि ॥ ५५ ॥ देवनरकायुर्वैक्रियषट्काहारयुगलतीर्थानाम् । बन्धोऽनुदयकाले ध्रुवोदयानां तूदये ॥५५॥ અર્થ—દેવાયુ, નરકાયુ, વૈક્રિયષક, આહારકદ્ધિક અને તીર્થંકર નામકર્મ એટલી પ્રકૃતિઓ પોતાનો ઉદય ન હોય તે કાળે બંધાય છે અને ધ્રુવોદયી પ્રકૃતિઓનો પોતાનો ઉદય છતાં બંધ થાય છે. ટીકાનુ—દેવાયુ, નરકાયુ, દેવગતિ દેવાનુપૂર્વી, નરકગતિ નરકાનુપૂર્વી, વૈક્રિયશરીર વૈક્રિય અંગોપાંગ એ છ પ્રકૃતિરૂપ વૈક્રિયષક, આહારક શરીર આહારક અંગોપાંગરૂપ આહારકકિ અને તીર્થંકરનામકર્મ એ અગિયાર પ્રકૃતિઓનો બંધ પોતાનો ઉદય ન હોય તે કાળે જ થાય છે તે આ પ્રમાણે— દેવત્રિકનો ઉદય દેવગતિમાં, નરકત્રિકનો ઉદય નરકગતિમાં, અને વૈક્રિયદ્વિકનો ઉદય તે બંને ગતિમાં હોય છે. દેવો અને નારકીઓ ભવ સ્વભાવે જ એ આઠ પ્રકૃતિઓ બાંધતા નથી. ૧. વૈક્રિય શરીર અને વૈક્રિય અંગોપાંગ પોતાનો ઉદય ન હોય ત્યારે બંધાય છે એમ જે કહ્યું તે ભવપ્રત્યયિક વિવક્ષા કરીને કહ્યું હોય એમ લાગે છે. કારણ કે વૈક્રિય શરીરિ મનુષ્ય તિર્યંચ દેવ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધતા વૈક્રિયદ્ધિક બાંધે છે.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy