________________
પ્રથમહાર
અનાકાર ઉપયોગ છે. પૂર્વોક્ત સ્વરૂપવાળો આકાર—વિશેષરહિત ઉપયોગ તે અનાકા૨૧ ઉપયોગ કહેવાય છે. તેમાં ચક્ષુ દ્વારા રૂપ વિષયનું જે સામાન્ય જ્ઞાન તે ચક્ષુર્દર્શન. ચક્ષુ સિવાય બાકીની ઇન્દ્રિયો અને મનથી પોતપોતાના વિષયનું જે સામાન્ય જ્ઞાન તે અચક્ષુર્દર્શન. પાંચ ઇન્દ્રિય અને મનની સહાય વિના મર્યાદામાં રહેલા રૂપી પદાર્થનું જે સામાન્ય જ્ઞાન તે અવધિદર્શન. જગતમાં રહેલા રૂપી અરૂપી સધળા પદાર્થનું સામાન્ય જ્ઞાન તે કેવળદર્શન. નામ, જાતિ, લિંગ આદિ વિના જે સામાન્ય જ્ઞાન થાય છે, તે દર્શન કહેવાય છે. આ પ્રમાણે ઉપયોગોનું સ્વરૂપ કહ્યું. હવે આ યોગ અને ઉપયોગોનો જીવસ્થાનકોમાં વિચાર કરવો જોઈએ કયા જીવોને કેટલા યોગ અને કેટલા ઉપયોગ હોય તે કહેવું જોઈએ. તે કહેવાની શરૂઆત કરે છે, ત્યાં પ્રથમ જીવસ્થાનકની સંખ્યા કહે છે. જીવો ચૌદ પ્રકારે છે. તે આ પ્રમાણે—સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઇંદ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય—એ સાતે અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ જીવોના ચૌદ ભેદ થાય છે. જો કે આ જીવસ્થાનકોની સંખ્યા આચાર્ય પોતાની મેળે જ આગળ ઉપર કહેશે તોપણ અહીં જ તેનું કથન વધારે ઉપયોગી હોવાથી તેઓનું વ્યાખ્યાન કરે છે. તે આ પ્રમાણે—સ્પર્શનરૂપ એક ઇન્દ્રિય જેઓને હોય તે પૃથ્વી, અપ્, તેઉ, વાયુ, અને વનસ્પતિ જીવો એકેન્દ્રિય કહેવાય છે. તે દરેક સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે છે. તેમાં જેઓ સૂક્ષ્મનામકર્મના ઉદયથી સૂક્ષ્મ પરિણામવાળા અને લોકના સંપૂર્ણ ભાગમાં વ્યાપીને રહેનારા છે તેઓ સૂક્ષ્મ કહેવાય છે. અને જેઓ બાદરનામકર્મના ઉદયથી બાદર પરિણામવાળા અને લોકના અમુક-નિશ્ચિત સ્થાનકોમાં છે તેઓ બાદર કહેવાય છે. તથા સ્પર્શન, અને રસનરૂપ બે ઇન્દ્રિયો જેઓને હોય તે શંખ, છીપ, ચંદનક, કોડા, જળો, નાના મોટા કરમિયા, અને પૂરા આદિ બેઇન્દ્રિય કહેવાય છે. તથા સ્પર્શન, રસન અને નાસિકારૂપ ત્રણ ઇન્દ્રિયો જેઓને હોય તે ા, માંકડ, ગદ્ધઇયા, કુંથુઆ, મક્કોડા, કીડીઓ, ઊધઈ, કર્પાસ, અસ્થિક, ત્રપુસ, બીજક અને તુંબરૂક આદિ તેઇન્દ્રિયો કહેવાય છે. સ્પર્શન, રસન, નાસિકા અને ચક્ષુરૂપ ચાર ઇન્દ્રિયો જેઓને હોય છે તે ભ્રમર, માંખ, ડાંસ, મચ્છર, વીંછી, કીડા અને પતંગિયા ચૌરિન્દ્રિય કહેવાય છે. સ્પર્શન, રસન, નાસિકા, ચક્ષુ અને શ્રોત્રરૂપ પાંચે ઇન્દ્રિયો જેઓને હોય છે તે મત્સ્ય, મગર મનુષ્ય આદિ પંચેન્દ્રિય
2
—
૧. શંકા—સંક્ષેપથી ઇન્દ્રિય અને મન વડે થતા પદાર્થના સામાન્ય બોધને ઇન્દ્રિયદર્શન કહી અવધિ તથા કેવળદર્શન એમ દર્શનરૂપ અનાકાર ઉપયોગના ત્રણ ભેદ બતાવવા જોઈએ અથવા વિસ્તારપૂર્વક સમજાવવા સ્પર્શનાદિ ઇન્દ્રિયો અને મન દ્વારા થતા સામાન્ય બોધને સ્પર્શનદર્શન, રસનદર્શન, પ્રાણદર્શન, ચક્ષુર્દર્શન, શ્રોત્રદર્શન તથા મનદર્શન તરીકે કહી અવિષે તથા કેવળ દર્શન સહિત દર્શનના આઠ ભેદ જણાવવા જોઈએ તેને બદલે અહીં ચાર જ ભેદ કેમ જણાવવા ?
સમાધાન :લોકવ્યવહારમાં ચક્ષુની પ્રધાનતા હોવાથી તેના દ્વારા થતા સામાન્ય બોધને ચક્ષુર્દર્શન કહી શેષ ઇન્દ્રિયો તથા મન દ્વારા થતા સામાન્ય બોધને વિસ્તારના ભયથી ભિન્ન-ભિન્ન દર્શન રૂપે ન બતાવતાં લાઘવ માટે અચક્ષુર્દર્શનમાં સમાવેશ કરેલ છે, તેથી ચાર ભેદ જ યોગ્ય છે. આ હકીકત પ્રથમ કર્મગ્રંથ ગા ૧૦ના મૂળ ટબામાં જણાવેલ છે.
૨. અનાદિકાળથી સર્વજીવોને નિગોદાવસ્થામાં અચક્ષુર્દર્શન હોય છે માટે ગાથામાં પ્રથમ તેનો નિર્દેશ કર્યો છે. પરંતુ ચક્ષુર્દર્શનની પ્રધાનતા હોવાથી ટીકાકારે પ્રથમ તેની વ્યાખ્યા કરી પછી અચક્ષુર્દર્શન બતાવેલ છે.
. ૩. જેઓના ગમે તેટલા શરીર એકત્ર થાય છતાં ચર્મચક્ષુથી ન દેખાય તે સૂક્ષ્મ કહેવાય. જેઓનાં અનેક શરીરનો સમૂહ પણ દેખાઈ શકતો હોય તે બાદર કહેવાય.
પંચ૰૧-૨