SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ દ્વિતીયદ્વાર-સારસંગ્રહ પ્રતિસમય અનંતા હોય છે. સામાન્યથી ત્રસકાયજીવો અને વિશેષથી બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય, અસંશી પંચેન્દ્રિય તિર્યંચો, ગર્ભજ તિર્યંચો, અપ્રતિષ્ઠાન નરકાવાસ સિવાયના સાતે નરકના નારકો, સંમૂર્ચ્છિમ મનુષ્યો, અનુત્તર સિવાયના દરેક પ્રકારના દેવો, સમ્યક્ત્વ અને દેશવિરતિ ચારિત્ર જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય સમય સુધી નિરંતર ઉત્પન્ન થાય છે, પછી અવશ્ય અંતર પડે છે. આ દરેક જીવો તથા સમ્યક્ત્વ વગેરે વિવક્ષિત એક સમયમાં જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. સર્વવિરતિ ચારિત્ર તથા મોક્ષ જીવો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી નિરંતર પ્રાપ્ત કરે છે. વિવક્ષિત સમયે જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા જીવો જ પામે છે. ઉપશામક અપૂર્વકરણાદિક ત્રણ, ઉપશાન્ત મોહ, ગર્ભજ મનુષ્યપણું, અપ્રતિષ્ઠાન નરકાવાસ, અનુત્તર સુરપણું તથા ક્ષપકશ્રેણિ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા સમય સુધી નિરંતર પ્રાપ્ત થાય છે. વિવક્ષિત સમયે જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા જીવો પ્રાપ્ત કરે છે. કારણે આ સર્વ ભાવો પ્રાપ્ત કરનાર ગર્ભજ મનુષ્યો જ હોય છે અને તે ઉત્કૃષ્ટથી પણ સંખ્યાતા જ હોય છે. જો કે ગર્ભજ મનુષ્યપણું ચારે ગતિના જીવો અને અપ્રતિષ્ઠાન નરકાવાસપણું ગર્ભજ તિર્યંચો પણ પ્રાપ્ત કરે છે છતાં તે બન્નેમાં સંખ્યાતા જીવો જ હોય છે તેથી તેમાં ઉત્પન્ન થનારું જીવો પણ વિવક્ષિત સમયે સંખ્યાતા જ હોય છે. પૂર્વે ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી મોક્ષપ્રાપ્તિ નિરંતર કહી, ત્યાં પણ આ પ્રમાણે વિશેષતા જાણવી. એકથી બત્રીસ સુધીની સંખ્યા જ નિરંતર આઠ સમય સુધી મોક્ષ પ્રાપ્ત કરી શકે, પરંતુ જો તેત્રીસથી અડતાળીશ, ઓગણપચાસથી સાઠ, એકસઠથી બોત્તેર, તોત્તેરથી ચોરાશી, પંચાશીથી છન્નુ અને સત્તાણુથી એકસો બે સુધીની સંખ્યા જો નિરંતર મોક્ષ પ્રાપ્ત કરે તો ઉત્કૃષ્ટથી પણ અનુક્રમે સાત, છ, પાંચ, ચાર, ત્રણ અને બે સમય સુધી જ પ્રાપ્ત કરે, પછી અવશ્ય અંતર પડે, જો એકસો ત્રણથી એકસો આઠ સુધીની સંખ્યા કોઈ પણ એક સમયે મોક્ષ પ્રાપ્ત કરે તો બીજા સમયે અવશ્ય અંતર પડે. તે મોક્ષનું અંતર જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસનું હોય છે. (૬) અત્તરદ્વાર વિવક્ષિત ભાવની પ્રાપ્તિ પછી ફરીથી તે જ ભાવ જેટલા કાળ સુધી પ્રાપ્ત ન થાય તેટલો કાળ અહીં ‘અંતર’ તરીકે કહેવાય છે. તે અંતર એક જીવ આશ્રયી તેમજ અનેક જીવાશ્રયી પણ હોય છે. ત્યાં પ્રથમ ઉત્પત્તિ આશ્રયી અંતર=વિરહ કહે છે. સંપૂર્ણ સાતે નરકમાં કોઈ પણ જીવ ઉત્પન્ન ન થાય તો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી ન થાય માટે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત પ્રમાણ
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy