SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ પંચસંગ્રહ-૧ વિશેષાધિક છે. કારણ કે પર્યાપ્ત બાદર પૃથ્વીકાયાદિ જીવોનો પણ તેમાં સમાવેશ થાય છે. તેઓથી અપર્યાપ્ત બાદર વનસ્પતિજીવો અસંખ્યાતગુણા છે, અને તેઓથી વનસ્પતિ આદિ વિશેષણ વિનાના બાદર અપર્યાપ્ત એકેન્દ્રિય જીવો સામાન્યપણે વિશેષાધિક છે. ૭૬ હવે સૂક્ષ્મ અપર્યાપ્ત વનસ્પતિ આદિ સંબંધે કહે છે सुहमा वणा असंखा विसेसहिया इमे उ सामन्ना । सुहुमवणा संखेज्जा पज्जत्ता सव्व किंचिहिया ॥७७॥ सूक्ष्माः वनाः असंख्येयगुणाः विशेषाधिकाः इमे तु सामान्याः । સૂક્ષ્મ: વનાર સંઘેયા: પતા: સર્વે વિઝિથિal: Inછા. અર્થ–તેઓથી અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિ જીવો અસંખ્યાતગુણા, તેઓથી સામાન્ય અપર્યાપ્ત સૂક્ષ્મ વિશેષાધિક, તેઓથી પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિ સંખ્યયગુણા, તેઓથી સઘળા સૂક્ષ્મ, પર્યાપ્ત વિશેષાધિક છે. ટકાનુ–અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવોથી સૂક્ષ્મ અપર્યાપ્ત વનસ્પતિજીવો અસંખ્યાતગુણા છે. તેઓથી સામાન્ય–વનસ્પતિઆદિ વિશેષણ વિનાના અપર્યાપ્ત સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. કારણ કે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ જીવોનો પણ તેમાં સમાવેશ થાય છે. તેઓથી પર્યાપ્ત સૂમ વનસ્પતિ જીવો સંખ્યાતગુણા છે, કારણ કે અપર્યાપ્ત સૂક્ષ્મ જીવોથી પર્યાપ્ત સૂક્ષ્મ જીવો તથાસ્વભાવે હંમેશાં સંખ્યાતગુણા જ હોય છે. કેવળજ્ઞાની મહારાજે તેમજ દેખેલું છે માટે. તેઓથી સઘળા પર્યાપ્ત સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયાદિનો પણ તેમાં સમાવેશ થાય છે માટે. શંકા–પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિ જીવોથી સઘળા પર્યાપ્ત સૂક્ષ્મ જીવો વિશેષાધિક કેમ કહ્યા? અસંખ્યાતગુણા કેમ ન કહ્યા ? કારણ કે ઘણી મોટી સંખ્યાવાળા સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ જીવોનો તેમાં સમાવેશ થાય છે. ઉત્તર–પર્યાપ્ત સૂક્ષ્મ જીવો પૂર્વોક્ત સંખ્યાથી કોઈ રીતે અસંખ્યાતગુણા થતા નથી. કારણ કે પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિ જીવોની અપેક્ષાએ પર્યાપ્ત પૃથ્વીકાયાદિ સઘળા સૂક્ષ્મ જીવો પણ બહુ અલ્પ સંખ્યાવાળા છે. કેમ કે પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિ જીવો અનંત લોકાકાશ પ્રદેશરાશિ પ્રમાણ છે, અને પૃથ્વીકાયાદિ સઘળા સૂક્ષ્મ પર્યાપ્ત જીવો પણ અસંખ્યાતા લોકાકાશપ્રદેશ પ્રમાણ જ છે. ૭૭ હવે પર્યાપ્તાપર્યાપ્ત સૂક્ષ્માદિના સંબંધમાં કહે છે – पज्जत्तापज्जत्ता सुहुमा किंचिहिया भव्वसिद्धिया । . .. तत्तो बायर सुहुमा निगोय वणस्सइजिया तत्तो ॥७८॥
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy