________________
દ્વિતીયાર
* અર્થ તેઓથી પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિ અસંખ્યાતગુણા, તેઓથી બાદર પર્યાપ્ત નિગોદો અસંખ્યાતગુણા, તેઓથી પર્યાપ્ત બાદર પૃથ્વી, અપુ અને વાલે ઉત્તરોત્તર અનુક્રમે અસંખ્યાતગુણા છે. અને તેઓથી બાદર અપર્યાપ્ત તેઉ અસંખ્યાત ગુણા છે.
ટીકાનુ–પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્દ્રિયોથી પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય જીવો અસંખ્યાતગુણા છે.
જો કે પહેલા અપર્યાપ્ત બેઈન્દ્રિયાદિની જેમ બાદર પ્રત્યેક વનસ્પતિકાય જીવો પણ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સૂચિશ્રેણિ જેવડા એક પ્રતરના જેટલા ખંડો થાય તેટલા કહ્યા છે, તોપણ અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાતા ભેદ થતા હોવાથી બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયના પરિણામના પ્રસંગે અંગુલનો અસંખ્યાતમો ભાગ બેઇન્દ્રિયના અંગુલના અસંખ્યાતમા ભાગથી અસંખેય ગુણહીન લેવો. કેમ કે ભાગનાર અંગુલનો અસંખ્યાતમો ભાગ ઘણો નાનો લેવામાં આવે તો જ જવાબ મોટો આવે. માટે અહીં કોઈ વિરોધ નથી.
વળી આ હકીકત આ પ્રમાણે જ સ્વીકારવી જોઈએ. કારણ કે પ્રજ્ઞાપના સૂત્રના મહાદંડકમાં અપર્યાપ્ત બેઇન્દ્રિય પછી તરત જ બાદરપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય અસંખ્યાતગુણ કહેલી છે.
શંકા–મહાદંડકમાં અપર્યાપ્ત બેઇન્દ્રિય પછી તરત જ બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિના સંબંધમાં કહેલું હોવાથી અસંખ્યાતગુણપણું ઘટી શકે, એ બરાબર છે. પરંતુ અહીં તો અપર્યાપ્ત બેઇન્દ્રિય પછી પર્યાપ્ત અપર્યાપ્ત પંચેન્દ્રિયો કહ્યા, ત્યારપછી અનુક્રમે ચઉરિન્દ્રિય, તેઈન્દ્રિય અને બેઇન્દ્રિયના સંબંધમાં કહ્યું છે, અને તેની પછી પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિ માટે કહ્યું છે. તેથી તેઓ અસંખ્યાતગુણા કઈ રીતે ઘટી શકે ? વચમાં ઘણાના સંબંધમાં કહ્યા પછી વનસ્પતિના સંબંધમાં કહ્યું હોવાથી અપર્યાપ્ત બેઈન્દ્રિયથી વિશેષાધિકપણે જ ઘટે .
ઉત્તર–અહીં કંઈ દોષ નથી. કારણ કે જો કે વચમાં પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્દ્રિયાદિના સંબંધમાં કહ્યું છે છતાં તેઓ સઘળા પૂર્વ પૂર્વથી વિશેષાધિક વિશેષાધિક જ કહ્યા છે. વિશેષાધિક એટલે પૂર્વની સંખ્યાથી થોડા વધારે, પરંતુ સંખ્યાતગુણા અધિક નહિ તેથી અપર્યાપ્ત બેઇન્દ્રિયની અપેક્ષાએ બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિ અસંખ્યાતગુણ કહ્યા છે છતાં પણ મહાદંડકમાં પર્યાપ્ત અપર્યાપ્ત બેઇન્દ્રિયની અપેક્ષાએ અસંખ્યાતગુણા જ કહ્યા છે એમ સમજવું.
તેઓથી પણ બાદર પર્યાપ્ત નિગોદો–અનંતકાયનાં શરીરો અસંખ્યાતગુણા છે. તેઓથી પર્યાપ્ત બાદર પૃથ્વીકાય અસંખ્યાતગુણા છે, તેઓથી પર્યાપ્ત બાદર અપ્લાય અસંખ્યાતગુણ છે.
અહીં જ કે પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિ, પૃથ્વીકાય અને અષ્કાયના જીવો અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સૂચિશ્રેણિરૂપ ખંડો એક પ્રતરમાં જેટલા થાય તેટલા સામાન્યથી કહ્યા છે, તોપણ અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્ય ભેદ છે તેથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અનુક્રમે અસંખ્યયગુણ હીન હીન ગ્રહણ કરવાનો હોવાથી આ પ્રમાણે અસંખ્યયગુણ અસંખ્યયગુણ કહેતાં કોઈ દોષ આવતો નથી. આ રીતે પણ દોષ નથી, કેમ કે મહાદંડકમાં પણ અસંખ્યયગુણા કહ્યા છે. મહાદંડક પહેલા કહી ગયા છે.