SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસંગ્રહ-૧ ભેદમાંના છેલ્લા ભેદનો ચૌદ ગુણસ્થાનકના ભેદે ચૌદ પ્રકારે સત્પદપ્રરૂપણા દ્વારા વિચાર કરવો જોઈએ તેથી ગુણસ્થાનકોને જ સત્પદપ્રરૂપણા વડે વિચારે છે— ૧૨૮ मिच्छा अविरय देसा पमत्तअपमत्तया सजोगि य । , सव्वद्धं इयरगुणा नाणाजीवेसु वि न होंति ॥६॥ मिथ्यादृष्टयोऽविरतदेशविरताः प्रमत्ताप्रमत्तकाः सयोगी च । सर्वाद्धामितरगुणा नानाजीवेष्वपि न भवन्ति ॥६॥ અર્થમિથ્યાર્દષ્ટિ, અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત અને સયોગી કેવળી ગુણસ્થાનકો સર્વકાળ હોય છે. ઇતર ગુણસ્થાનકો નાના જીવોમાં પણ સર્વદા હોતાં નથી. ૬ ટીકાનુ—મિથ્યાર્દષ્ટિ, અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, અને સયોગી કેવળી આ છ ગુણસ્થાન સર્વકાળ હોય છે. આ છ ગુણસ્થાનકવર્તી જીવો નિરંતર હોય છે. શેષ સાસ્વાદન સમ્યગ્દષ્ટિ, મિશ્ર, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સંપરાય, સૂક્ષ્મસંપરાય, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, અને અયોગી કેવળી એ આઠ ગુણસ્થાનકો એક જીવમાં તો દૂર રહો પરંતુ અનેક જીવોમાં પણ સર્વકાળ હોતા નથી. આ આઠ ગુણસ્થાનકવર્તી જીવો સર્વકાળ વિદ્યમાન હોતા નથી. જો કોઈ વખતે હોય છે તો આઠમાંથી કોઈપણ એક ગુણસ્થાનકે હોય છે. કોઈ વખતે કોઈપણ બે, કોઈ વખતે કોઈપણ ત્રણ ગુણસ્થાનકે હોય છે, એમ યાવત્ આઠે ગુણસ્થાનકો પર પણ કોઈ વખતે જીવો હોય છે. વળી તેઓમાં કોઈ વખત એક જીવ હોય છે, કોઈ વખત અનેક જીવો હોય છે. અનેક એટલે કેટલા તેની નિશ્ચિત સંખ્યા આગળ ઉપર કહેશે. કોઈ વખત ન હોય તો આઠમાંના કોઈપણ ગુણસ્થાનકે કોઈપણ જીવ હોતો નથી. કોઈપણ ગુણસ્થાનકો પર જીવો ન હોય તો કેટલો કાળ ન હોય તે આગળ ઉપર વિરહકાળમાં કહેશે. ૬ હવે એ આઠ ગુણસ્થાનકના એક-દ્વિકાદિના સંયોગે સરવાળે જેટલા ભેદો થાય છે, તે ભેદો બતાવવા કરણ ગાથા કહે છે— इगदुग जोगाइणं ठवियमहो एगणेग इइ जुयलं । इगि जोगाउ दुदु गुणा गुणियविमिस्सा भवे भंगा ॥७॥ एकद्विकयोगादीनां स्थापयित्वाऽधः एकबहुत्वमिति युगलम् । योगात् द्विद्विगुणं गुणितविमिश्रा भवेयुर्भङ्गाः ॥७॥ ૧. મિથ્યાર્દષ્ટિ જીવો પૂર્વે ઉત્પન્ન થયેલા અને ઉત્પન્ન થતા નિરંતર હોય છે. શેષ પાંચ ગુણસ્થાનકવાળા જીવો પૂર્વે ઉત્પન્ન થયેલા નિરંતર હોય છે, પરંતુ ઉત્પન્ન થતા હોય છે, તેમ નથી પણ હોતા, કારણ કે તેનો વિરહકાળ હોય છે. વિરહકાળ આગળ ઉપર કહેશે.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy