SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ વિલીયદ્વાર ૧૨૭ પર્યાપ્તા અને અપર્યાપ્તાના ભેદે ચાર ચાર પ્રકારે છે, કુલ સોળ ભેદ થાય છે. તથા સાધારણ વનસ્પતિકાય પણ સૂક્ષ્મ અને બાદર તથા પર્યાપ્તા અને અપર્યાપ્તાના ભેદે ચાર પ્રકારે છે. તથા પ્રત્યેક વનસ્પતિકાય પર્યાપ્તા અપર્યાપ્તા એમ બે ભેદે છે. કુલ એકેન્દ્રિયના બાવીસ ભેદ થાય છે. તે દરેક ભેદ પૂર્વે ઉત્પન્ન થયેલા, અને ઉત્પન્ન થતા એમ બન્ને પ્રકારે છે. અહીં આ બાવીસે ભેટવાળા જીવો પૂર્વે ઉત્પન્ન થયેલા અને વર્તમાનકાળ ઉત્પન્ન થતા નિરંતર હોય છે, તેનો વિરહકાળ નથી. અહીં પૂર્વે ઉત્પન્ન થયેલા અને ઉત્પન્ન થતા એમ જે કહે છે, તે જ વખતે શિષ્ય ગુરુ મહારાજને પ્રશ્ન પૂછે અને તેનો ગુરુ મહારાજ ઉત્તર આપે તે અપેક્ષાએ સમજવું. શેષ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અને અસંક્ષીપંચેન્દ્રિય એ દરેક પર્યાપ્ત અને અપર્યાપ્ત તથા સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્ત એ સર્વ પ્રકારના જીવો પૂર્વે ઉત્પન્ન થયેલા નિરંતર વિદ્યમાન હોય છે. પરંતુ ઉત્પન્ન થતા હોય છે, તેમ નથી પણ હોતા. ગાથામાંનો “તુ' શબ્દ અનેકાર્થક હોવાથી સંશી લબ્ધિ અપર્યાપ્તા પૂર્વે ઉત્પન્ન થયેલા તથા ઉત્પન્ન થતા એમ બંને પ્રકારે ભજનીય છે એટલે કે ઉત્પન્ન થયેલા હોય છે તેમ નથી પણ હોતા. પ્રશ્ન—ઉત્પન્ન થતા હોય છે તેમ નથી પણ હોતા, એમ શી રીતે જાણી શકાય? ઉત્તર–લબ્ધિ અપર્યાપ્ત સંસીનો સ્થિતિકાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે, કારણ કે તેઓનું આયુ તેટલું જ હોય છે. અને તેઓની ઉત્પત્તિ આશ્રયી વિરહકાળ બાર મુહૂર્તનો છે. હવે ઉત્પન્ન થયા પછી વિરહકાળ પડે, અને ઉત્પન્ન થયેલા પોતાનું આયુ પૂર્ણ કરી મરણ પામે તો કંઈક અધિક અગિયાર મુહૂર્ત પર્યત એક પણ લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય પૂર્વે ઉત્પન્ન થયેલો કે ઉત્પન્ન થતો હોઈ શકે નહિ. તેથી જ પૂર્વે ઉત્પન્ન થયેલાની પણ ભજના જણાવી છે. શંકા–બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્ત પણ ' અંતર્મુહૂર્તના આયુવાળા છે, અને વિરહ પણ અંતર્મુહૂર્તનો અન્યત્ર કહેવાય છે. તો તેઓ પણ પૂર્વે ઉત્પન્ન થયેલા ભજનાએ કેમ ન હોય? એટલે કે લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞીની જેમ તેઓ પૂર્વે ઉત્પન્ન થયેલા હોય કે ન પણ હોય એમ કેમ ન બને ? ઉત્તર–અહીં કંઈ દોષ નથી. કારણ કે વિરહકાળથી તેઓના આયુનું અંતર્મુહૂર્ત મોટું છે. એટલે વિરહકાળ પૂર્ણ થવા છતાં પણ પૂર્વના ઉત્પન્ન થયેલા જીવો વિદ્યમાન હોય છે, તેથી જ પૂર્વે ઉત્પન્ન થયેલા જીવો આશ્રયી ભજના કહી નથી. પ્રશ્ન—વિરહાકાળથી આયુનું અંતર્મુહૂર્ત મોટું છે એ શી રીતે જાણી શકાય? ઉત્તર–અન્ય ગ્રંથોમાં કઈ કઈ રાશિઓ નિત્ય છે, એનો જયાં વિચાર ચાલ્યો છે, ત્યાં જે નિત્યરાશિઓ ગણાવી છે, તેની સાથે લબ્ધિ અપર્યાપ્ત બેઈન્દ્રિયાદિની પણ ગણના કરી છે. અને એ ગણના ત્યારે જ થઈ શકે કે વિરહકાળથી આયુનું અંતર્મુહૂર્ત મોટું હોય. ૫ - આ પ્રમાણે જીવના ચૌદે ભેદોનો સત્પદપ્રરૂપણા વડે વિચાર કરીને હવે તે ચૌદ
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy