SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ વિલીયાર ૧૧૯ . સુત્ર ? શરીર નો વા નવનિ શિવિર ? સર્વાનં 1 | कतिभावयुता जीवाः ? द्विकत्रिकचतुष्पञ्चमित्रैः ॥३॥ અર્થજીવ ક્યાં રહે છે? શરીર અથવા લોકમાં રહે છે. કેટલો કાળ જીવ રહેવાનો છે? સર્વકાળ રહેવાનો છે. કેટલા ભાવ યુક્ત જીવો હોય છે? બે, ત્રણ, ચાર કે પાંચ ભાવ યુક્ત જીવો હોય છે. ટીકાનુ–પૂર્વની ગાથામાં જીવનું સ્વરૂપ સમજવા ત્રણ પ્રશ્નો કરી તેના ઉત્તર આપ્યા છે. આ ગાથામાં બીજા ત્રણ પ્રશ્નો કરી તેના ઉત્તર આપે છે. પ્રશ્ન-૪. જીવો ક્યાં રહે છે ? ઉત્તર–જીવો પોત-પોતાના શરીરમાં રહે છે, અથવા લોકમાં રહે છે. તેમાં સામાન્ય વિચાર કરતાં જીવો લોકમાં રહે છે, અલોકમાં નહિ. કારણ કે તથાસ્વભાવે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ અને પુગલોનો અલોકમાં અભાવ છે. વિશેષ વિચાર કરતાં પોતપોતાનો જીવ પોતપોતાના શરીરમાં રહે છે, પોતાના શરીરથી બહાર રહેતો નથી. કારણ કે શરીરના પરમાણુઓ સાથે આત્મપ્રદેશોનો પાણી અને દૂધની જેમ પરસ્પર એકાકાર સંબંધ છે. કહ્યું છે કે–જીવ અને પુદ્ગલ પરસ્પર એકાકારરૂપે રહેલાં છે, તેમાં આ જીવ છે અને આ શરીર છે એવો વિભાગ થઈ શકતો નથી. જેમ પાણી અને દૂધ એકાકારરૂપે રહેલાં છે તેમાં આ પાણી અને આ દૂધ એવો વિભાગ થઈ શકતો નથી. આ પ્રશ્ન–૫. જીવો કેટલા કાળ પર્યત જીવરૂપે રહેશે? તેનો નાશ ક્યારે થશે? 'ઉત્તર–સર્વદા જીવો જીવરૂપે રહેશે, કોઈ કાળે તેઓનો નાશ થશે નહિ. અહીં ત્રીજા પ્રશ્નના ઉત્તર વડે જીવો અનાદિકાળથી છે એમ કહ્યું. અને આ પ્રશ્નના ઉત્તર વડે અનંતકાળપર્યત જીવો જીવરૂપે રહેવાના છે એ કહ્યું. તાત્પર્ય એ કે જીવોને કોઈએ બનાવ્યા નથી તેથી અનાદિ કાળથી છે, અને અનંતકાળ પર્યત રહેવાના છે. એટલે કે અનાદિ અનંત છે, એમ સમજવું.. - જ્યારે એમ છે ત્યારે મુક્ત અવસ્થાને પ્રાપ્ત થયેલા આત્માઓ પણ પોતાની એ સ્થિતિમાંથી કોઈ કાળે નષ્ટ થશે નહિ, પરંતુ હંમેશ માટે જ્ઞાન દર્શન આદિ પોતાના સ્વરૂપમાં જ રહેશે, એમ માનવું જોઈએ. આ કહેવા વડે કેટલાક બૌદ્ધાદિ અન્ય દર્શનીઓનું ખંડન કર્યું છે, એમ સમજવું. તેઓ આ પ્રમાણે કહે છે–ઓલવાઈ ગયેલો દીવો પૃથ્વીમાં નીચે જતો નથી, આકાશમાં ઊંચે જતો નથી, પરંતુ ત્યાં જ રહ્યો છતો સ્નેહ-તેલના ક્ષય થવાથી ઓલવાઈ જાય છે. તેમ સ્નેહ-રાગદ્વેષના ક્ષય થવાથી નિવૃત્તિ-મોક્ષને પ્રાપ્ત થયેલો આત્મા પણ પૃથ્વીમાં નીચે જતો નથી, આકાશમાં ઊંચો જતો નથી, તેમ કોઈ દિશા કે વિદિશામાં પણ જતો નથી. પરંતુ ત્યાં જ રહ્યો છતો દીવાની જેમ ઓલવાઈ જાય છે, અર્થાત તેનો નાશ થાય છે.” તથા અરિહંતના - મરણોન્મુખ ચિત્તનું પ્રતિસંધિ-અનુસંધાન હોતું નથી, પરંતુ દીવાની જેમ નિર્વાણ–નાશ થાય છે, તેમ ચિત્ત-આત્માનો મોક્ષ થાય છે.
SR No.005674
Book TitlePanchsangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2000
Total Pages858
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy