________________
ધર્મને પૂજવા ધર્મીને પૂજવા પડે. ધર્મ એ તો ગુણ છે તે ધર્મી આત્મામાં રહે. ધર્મ આપણામાં આવે ને દેવતાઓથી પૂજિત બનીએ. જેનામાં ધર્મ પરિણમ્યો હોય તેની ઈન્દ્ર પ્રશંસા કરે. ઈન્દ્ર સભામાં બેસતા પહેલા વિરતીધરને નમસ્કાર કરે.
ભગવાને વિરતિરૂપ ધર્મ ભાખ્યો છે. સમ્યગ્દષ્ટિ દેવતાઓ પણ દેવલોકમાં સંકલ્પ કરે છે કે અહીંથી મનુષ્યમાં ગયા પછી ૮ વર્ષની ઉંમરમાં ચારિત્ર લઈ લઈશું... આ વિરતિધર્મ અમારે જોઈએ છે. જે મળ્યા વગર મોક્ષ નથી. “ચારિત્ર વિણ નહિ મુક્તિ રે.” સંસારનો અંત વિરતિધર્મથી જ આવે. ચક્રવર્તી ૬૪,૦૦૦ સ્ત્રીનો ત્યાગ કરી ચારિત્રધર્મ લેવા નીકળે છે.
હરિનો મારગ છે શૂરાનો : - આ મહાપુરુષોએ ખેડેલો માર્ગ છે. તિર્થંકર ભગવંતો ચારિત્ર લે પછી જ કેવળજ્ઞાન થાય. ગણધરો, રાજાઓ, બળદેવો બધા ચારિત્ર લે. કષભદેવ ભગવાનના શાસનમાં અસંખ્ય રાજાઓ થયા. એ બધાએ રાજ્ય છોડીને દીક્ષા લીધી ને મોક્ષમાં ટુ અનુત્તરવાસી વિમાનમાં ગયા. સમ્રાટોએ સેવેલા ધર્મનું શરણા રવીકારવાનું છે.
દેવલોકના દેવતાઓ આ ધર્મને પૂજે, બહુમાન કરે. અસુરો પૃથ્વીની નીચેના દેવતાઓ અને ચક્રવર્તીઓ, રાજા-મહારાજાઓ આ ધર્મને માને, પાળે. આ કોઈ સામાન્ય ધર્મ નથી. ચક્રવર્તીઓ છ ખંડના સામ્રાજ્યો છડીને એને ગ્રહણ કરે. આજે પણ અબજોપતિઓ, શ્રેષ્ઠીઓ સંપત્તિ છોડીને સંચમ ગ્રહણ કરે છે.
૯૧ For Persea Private Use Only
(૧)
Jain Education International
www.jainelibrary.org