________________
એ ધર્મનું ફળ શું ?
(૨) મોિિમાંશુમાલી : અંશુમાળી એટલે સૂર્ય. એ આપણામાં આવે એટલે મોહનું અંધારુ જાય. મોહ એટલે અજ્ઞાન દૂર થાય. મોહરૂપી અંધારાને દૂર કરવામાં સૂર્ય સમાન ધર્મ છે.
અંદર મોહનીયનું ગાઢ અંધારું છે. મિથ્યાત્વ મોહનીય સાચું સમજવા દેતું નથી. ચાસ્ત્રિ મોહનીય જીવનમાં સારો આચાર આવવા દેતા નથી. દર્શન મોહનીય શ્રદ્ધા થવા દેતા નથી.
ભગવાનને જોતા આંખમાં આંસુ આવતા નથી. સમકિત બહુ નબળુ છે. કોઈ ભગવાનનું નામ બોલે ને હૈયામાં ઉલ્લાસ જાગતો નથી, આ સમકિતની ખામી છે. આ સમેતશિખર, જેના પર ૨૦-૨૦ તિર્થંકરો મોક્ષે સિધાવ્યા એ આજે સંકટમાં છતાં સુભૂમની પાલખી. તમારા ઘરે રેડ પડયાના સમાચાર આવે તો ઊંઘ આવે ખરી ? આ પરમાત્મા પોતાના લાગ્યા નથી. આ બધી મોહની માયાજાળ છે, ને જીવ એમાં અટવાય છે.
મોહના પડલોને ભેદનારો છે આ ધર્મ :
પણ આ ધર્મ હૃદયમાં આવે એટલે મોહના અંધારા બધા ઉલેચાઈ જાય. ઈલાચીપુત્રનું બધું અંધારુ એક સાથે ગયું.નગરશેઠનો દીકરો નડી પાછળ પાગલ બન્યો ને ઘરકુટુંબ-પૈસા ને બધું છોડયું પણ એકવાર દોરડા પર નાચ નાચતા સામે મહેલ પર નજર પડી. રૂપવાન, દેવાંગના જેવી શ્રાવિકા મહાત્માને વહોરાવે છે ને મહાત્મા આંખ ઊંચી કરીને જોતા પણ નથી. કેવા ઉચ્ચ મહાત્મા ને હું કેવો પાપી ને આ વિચારે પશ્ચાતાપ થયો.
Jain Education International
૯૨
For Personal & Private Use Only
www.jainelibrary.org