________________
સર્વજ્ઞ ભગવાન સિવાય કોણ આવું બતાવી શકે ? જિનશાસન સિવાય ક્યાં આવું મળે ?
સંઘની આબાદી કેમ થાય ?
પ્રેમસૂરિ મ. ને કોઈ સાધુએ પૂછયું. “સાહેબ ! આખા સંઘની આબાદી કેમ વધે?” પ્રેમસૂરિ મ. કોઈ મોટી મોટી યોજનાઓ ન બતાવી માત્ર સાત જ અક્ષરમાં જવાબ આપ્યો ‘પંચાચાર-પાલન.' એ જેટલું વધે તેટલી આબાદી વધે. આચાર્યોની બે જવાબદારી-પંચાચાર પાળવું અને પળાવવું. સાધુને એક જ જવાબદારી, પંચાચાર પાળવાની.
સાધુ પરોપકારમાં રત હોય, કંજૂસ નહિ બનવાનું. તિર્થંકર બનવાનો પાયો પરોપકાર છે. ભગવાનનું વિશેષણ મૂક્યું, પરાર્થવ્યસની. જેના વગર ચાલે નહિ, ચેન ના પડે તે વ્યસન, બીજાને સહાય કર્યા વગર, કંઈ ને કંઈ કરી છૂટયા વગર પરમાત્માને ચેન ન પડે, નિગોદમાં પણ અવ્યક્ત પણે બીજાના સુખની ભાવના હોય, સ્વાર્થ હંમેશા ગૌણ હોય. પોતાના સુખની ઈચ્છા નહિ કરવાની. બદલાની અપેક્ષા વગર સહાય, સેવા, ભક્તિ કરવાની. કોઈ બદલો વાળવા આવે તો ના પાડવાની. બદલો લઈએ તો આપણું સુકૃત ક્યાં ઉભુ રહે ?
બદલાની અપેક્ષા ન હોય.
ઘણા એવા ભાગ્યશાળીઓ હોય, ઉપધાન હોય કે વર્ષીતપના પારણા સૌથી પહેલા રસોડામાં પહોંચી જાય, પહેલેથી છેલ્લે સુધીનું
Jain Education International
८७
For Personal & Private Use Only
www.jainelibrary.org