SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ બધું સંભાળે, બધા તપસ્વીઓની એકદમ જોરદાર ભક્તિ કરે અને છેલ્લે જ્યારે પોતાના જમવાનો વખત આવે ત્યારે ઘરે જતા રહે. કહે, “જમીએ તો સુકૃતનો બદલો વળી જાય” આપણે અહીં પ્રભાવના આપતા પહેલા દૂધ-પાણીથી પગ ધૂએ, લૂછે, માથે તિલક કરે, ચોખા ચોડે ને બહુમાનપૂર્વક પ્રભાવના આપીને ભક્તિ કરે. આને ભક્તિ કહેવાય ? કોઈ ફાઈવસ્ટાર હોટલમાં જઈએ તો પણ બહુમાનપૂર્વક બોલાવે, બેસાડે, જમાડે પણ પાછા ઘરે વળીએ ત્યારે મોટું બીલ બતાડે. એ ભક્તિ કહેવાય ? પંકજ પરે રે ન્યારા સાધુજી : પાણી અને કાદવમાં કમળ ઉગે છતાં બેયથી અલિપ્ત, સાધુ સંસારમાં જ હોય છતાં નિર્લેપ, આસક્તિ વગરના, બધી ખાવાની, પહેરવાની, ભોગવવાની ઈચ્છા નીકળી જાય. આરાધના સાધના ઉપાસના - ધ્યાન - અધ્યયન, જ્ઞાન - દર્શન - ચારિત્રના ભાવો ઉછળે એવા સાધુનું શરણ સ્વીકાર્યા પછી ધર્મનું શરણ સ્વીકારવાનું. - B રત્નકણિકા * સફલતાના બંદરે પહોંચવા માટે પ્રામાણિક્તાનો ટેક્સ ચુકવવો પડતો હોય છે. Jain Education International ૮૮ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy