________________
મુનિશું મન માન્યો :
સાધુના ગુણો બતાવ્યા. ‘પસંતગંભીરાસયા' પ્રશાંત અને ગંભીર આશયવાળા. ઉછાંછળાપણું ન હોય. જેટલું જાણીએ સાંભળીએ તે બધાને કહેવાય નહિ. પેટમાં રાખતાં આવડવું જોઈએ. બધી વાત બીજાને કરી દેવી એ અગંભીરતા છે. સાધુ ગંભીર હોય.
વળી સાવપ્નનોવિયા સ-અવધ અવધ એટલે પાપ કરાવે એવા યોગોથી વિરામ પામેલા છે. એવા યોગો કરવાના નહિ, કરાવવાના પણ નહિ. સાવધ બોલવાનું પણ નહિ. દીક્ષા લીધા પછી ઘરવાળા કરોડ કમાય તો અનુમોદના નહિ કરવાની, ૧ કરોડ જાય તો ખેદ પણ નહિ કરવાનો. વિચારવાનું કે આ બધા પૈસા પાછળ જીવન વેડફી રહ્યા છે, ધર્મ ગુમાવી રહ્યા છે. ક્યારે છૂટશે ? મનથી, વચનથી ને કાયાથી પાપ કરવું નહિ, કરાવવું નહિ અને અનુ એટલે પાછળ, મોદ એટલે આનંદ, પાપની અનુમોદના પણ કરવી નહિ.
સાધુને સર્વ સાવધનો ત્યાગ, શ્રાવકને સામાયિકમાં નિયમથી ત્યાગ, સાધુને યાવજ્જીવ. સાધુને તિવિહં તિવિહેણં, શ્રાવકને વિહં તિવિહેણં, કારણ શ્રાવક્ષણામાં અનુમોદનાના પાપથી છૂટી શકાતું નથી. સામાયિક છે છતાં ઘર પર પોતાની માલિકી છે એની અનુમોદના છે. બેંકમાં રૂા. નું વ્યાજ આવે છે તેની માલિકી છે માટે અનુમોદનાનું પાપ લાગી જ જાય. સર્વવિરતિ એ મહાન સાધના છે. પવન આવતો હોય તો પણ હાશ! નહિ કરવાનું, અનુમોદનાથી વાઉકાયની વિરાધનાનું પાપ લાગે.
Jain Education International
૮૬
For Personal & Private Use Only
www.jainelibrary.org