________________
કોઈ ને ઝેર ખાવું હોય તો તેમાં સહાય ન કરાય. પૈસામાં તો પાપ બાંધવાનું. સાધુ ધર્મમાં સહાય કરે.
(५) पउमाइनिर्दसणा
કમળના દૃષ્ટાંતવાળા. કમળ ઉગે કાદવમાં પણ કાદવથી અલિપ્ત રહે. સંસારમાં રહે ખરા પણ રમે નહિ. ભોગસુખોની ઈચ્છાઓ વગરના.
(૬) જ્ઞાણયસંયા: જ્ઞાન અને અધ્યયનમાં ઓતપ્રોત, એકાગ્ર ચિત્તવાળા જ્ઞાન અને અધ્યયનમાં યુક્ત એટલે પછી એ કેવા બને?
(6) વિલુક્સમાળખાવા: વિશુદ્ધ મનના ભાવોવાળા, ભાવો આગળને આગળ ઉચા પરિણામવાળા થાય. વૈયાવચ્ચ, ભક્તિ, સહાયના ભાવો વધતા જ રહે. એવા સાધુ ભગવંતનું મને શરણ હો.
શાસ્ત્રકારોનો કેટલો ઉપકાર ! ૪ શરણ સ્વીકારવાના એટલું કહીને અટકી ન ગયા. સાથે એ શરણ કેવી રીતે લેવાનું, એ પણ બતાવ્યું. વિશેષણોપૂર્વક તેમની વિશેષતાઓ બતાવી જેથી ભાવવૃદ્ધિ થાય. શરણ માટેના પાઠ પણ આપી દીધા જે માત્ર આપણે બોલી જવાના, કંઈ મહેનત નહિ કરવાની. માત્ર આપણે એક જ કામ કરવાનું, તેમાં ભાવ મેળવવાનું સુપ્રણિધાન કરવાનું. .
૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org