________________
(૩) પંવિદાયના સાધુ મ. પાંચ મહાવ્રતોમાં આવી ગયા. બધા પાપોથી વિરત થયા. એક દિવસના પાપનું પ્રાયશ્ચિત કેટલું ? દુનિયાના બધાં પર્વતો સોનાના થઈ જાય ને બધું દાનમાં આપી દઈએ તોય ન છૂટે. એકવાર ભોજન કરીએ ને કેટલા પૃથ્વી, અપકાય, અગ્નિકાયના જીવો મરે.
અત્યારે ચારિત્ર લઈને થોડું કષ્ટ નહિ ભોગવીએ તો કર્મસત્તા છોડશે નહિ, અનેકગણું ભવોભવ ભોગવવું પડશે. મહાવીર ભગવાને ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં સીસું રેડડ્યું. ૨૫માં ભવમાં આટલા બધા માસક્ષમણ કર્યા તોય પેલું બાંધેલું નિકાચિતા કર્મ ઉદયમાં આવ્યું ને ભોગવવું પડયું. એકમાત્ર જિનશાસના સાચો માર્ગ બતાવે છે.
સાધુ ભગવંત પાંચ પ્રકારના આચારને જાણે અને પાળે. જ્ઞાનાચારઃ ભણે, ભણાવે જ્ઞાન-જ્ઞાનીની આરાધના કરે દર્શનાચારઃ સાધુનો વિનય, ભક્તિ, વૈયાવચ્ચ કરે ચારિત્રાચાર ઃ ચારિત્રના આચાર, ક્રિયાઓ પાળે. તપાચાર: છ બાહ્ય અને છ અત્યંતર તપનું પાલન કરે
વીચાર : શક્તિ મુજબ આરાધનાઓમાં વીર્ય ફોરવે, સત્વ ફોરવે.
(૪) પરવથાનિય
પરોપકારમાં રત. સહાય કરે તે સાધુ, સાધુ શેમાં સહાય કરે? સંસારમાં, પૈસા મેળવવામાં? ના, દુકાનના કે ફેક્ટરીઓના મુહૂર્ત જોઈ આપવામાં? ના, સાધુ તો મોક્ષમાર્ગમાં સહાય કરે.
૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org