________________
(૨) સાવનો વિર:
સાવધ યોગથી વિરામ પામેલા. સાવધ એટલે જેનાથી પાપ લાગે એવા. હિંસા-જૂઠ-ચોરી-મેથુન-પરિગ્રહના પાપોથી, ૧૮ પાપસ્થાનકોથી અટકી ગયા છે. કેટલું પવિત્ર જીવન જીવનારા કેવા ઊંચા પરિણામવાળા.
સુદત્ત મુનિવર જંગલમાં કાઉસગ્નમાં ઉભા હતા. ગુણધર રાજાએ તેમને ઉપસર્ગ માટે શિકારી કૂતરા છોડયા. પણ કૂતરા તેમની નજીક ગયા ને શાંત પડી ગયા. ગુણધર રાજા શરમાઈ ગયો. જે કામ કૂતરા પણ ન કરી શકે એવા કામ હું કરું? હું કુતરા કરતાં પણ ગયો? શરમાઈ ગયો છે.
એટલામાં શ્રાવક પસાર થયો. ગણધર રાજાએ આ વાત કરી, શ્રાવક સાંત્વના આપે છે કહે છે આ સુદત્ત મુનિવર છે. સંસારીપણે રાજકુમાર હતા. એક ચોર ચોરીના ગુનામાં પકડાયો, સાથે હિંસા પણ કરી હતી. આ બે ગુનાની સજારૂપે એને ફાંસીની સજા રાજ્ય તરફથી ફટકારાઈ. આ જોઈને સુદત્ત કુમાર વિચારે છે કે મારે પણ આવા પાપો કરવાના? પાપથી ડરીને દીક્ષા લીધી ને હવે ઉગ્ર સાધના કરે છે.
એક સાધુ મહારાજ. દીક્ષામાં મન ઢીલું પડ્યું ને કપડા બદલી દીધા. મુંબઈ માં હતા મુતરડીમાં ગયા ને જીવડાઓ જોઈ ગભરાઈ ગયા. મારે આટલા બધા જીવોની હિંસા કરવાની. પહેલા જીવદયા બહુ પાળી છે. જીવદયાના પરિણામ જાગૃત છે. વળતા ગુરુ મ. પાસે આવ્યા, પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થયા. ફરી નવી દીક્ષા લીધી.
(૮૩)
૮૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org