SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અપાયથી રક્ષા કરે. અપાય એટલે દુખો, પ્રતિકૂળતા, રોગ, પેઢીની ચિંતા એ દ્રવ્ય અપાય. મોહ, રાગ, રતિ, વેદના, એ બધા ભાવ અપાયો છે. મનની અંદર ઉઠતા અધ્યવસાયની રક્ષા આ કરશે. મોહના સુભટો દૂરથી જ ભાગી જશે. શરણને બરાબર સ્વીકારી લેવાનું. મુનિસુવ્રત સ્વામી ઘોડા માટે રાત્રે ૬૦ માઈલ ચાલીને ગયા કારણ ઘોડાએ અરિહંતનું શરણ સ્વીકાર્યું હતું. ઘોડો તો અશ્વમેઘ યજ્ઞમાં ખતમ થઈ જવાનો હતો. પણ શરણ એવું પકડયું હતું કે ભગવાનને સામે ચાલીને આવવું પડયું. જેમ જેમ અરિહંતાદિના શરણ સ્વીકારીએ તેમ તેમ ઉત્કૃષ્ટ કોટિના સંયોગો સામે ચાલીને મળે, સારા ચારિત્રમાર્ગની આરાધના મળે. શરણે જાય તે તરી જાય ? વળી, ભવ્યત્વનો પરિપાક કરવા વિચારવાનું કે આ ચાર જ શરણરૂપ છે, બીજું કાંઈ નહિ. ભયંકર માંદગીમાં ભાઈ, બેન, માતા કોઈ રક્ષા ન કરી શકે. આપણી રક્ષાની તાકાત આ ચારમાં જ છે. મોટા મોટા ગ્રેડની સીક્યુરીટીવાળા ઉપડી ગયા પણ નમસ્કારમંત્ર જેના હૃદયમાં હતા તે તરી ગયા. આવનારી આપત્તિ સંપત્તિમાં મનમાં દેટ ધારી રાખો કે આના સિવાય કોઈ રક્ષણ કરનારું નથી. આપણા જીવનની લડતમાં આ ૪ સિવાય છૂટકો જ નથી... બીજે ક્યાંય ઠેકાણું પડવાનું નથી. મનમાં આવતા ભયંકર વિચારોથી આ જ બચાવશે. મન આત્માને આધિન નથી. મન આત્માને હિત કરનારું હોય તો કોઈ વાંધો નથી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy