________________
જેનામાં તાકાત હોય તેનું. આ અરિહંતમાં બધી જ તાકાત છે. ગમે એવા પણ કર્મો દૂર થઈ જ જાય. બધુ ખૂટતું પુણ્ય પૂરી આપે...
અરિહંતથી દુનિયાના બધા સુખો મળી આવે. સિદ્ધના શરણથી નડતા કર્મો દૂર થઈ જાય. સાધુના શરણથી જીવનની જે કાંઈ નબળાઈ, આશ્રવો હોય તે અટકવા માંડે સાધુ સંપૂર્ણ સંવરમાં છે માટે તેમના શરણથી પ્રવૃત્તિના પાપો જાય. ધર્મના શરણથી બધા કર્મની નિર્જરા થવા માંડે. શ્રેણિક મહારાજા મહાવીર ભગવાનના શરણે ગયાને સુખી થઈ ગયા. ભગવાનના સમાન બની જવાના! જેનું શરણું સમર્પણ થાય એના જેવા આપણે બની જઈએ.
મોહરાજા બહુ બળવાન છે. આપણે જેમ જેમ ઊંચે ચડીએ એમ એમ એની છાવણીમાં ફડફડાટ વધે, સામે વળતા મોહના હુમલા આવે પણ આપણે શરણ લઈને જઈએ તો કાંઈ ભય નથી. શરણને છોડવાનું નહિ. દરિયામાં પાટીયું હાથમાં આવી ગયું છે.હવે એ છૂટવું ન જોઈએ, આપણને એ જ તારશે.
દ્રવ્ય અને ભાવ, બેય અપાયથી રક્ષા થાય
મુંબઈ જવા બસમાં બેઠા પછી રસ્તાની, ખાડા-ટેકરાની કોણ ચિંતા કરે ! ૨૦૦-૫૦૦ ટીકિટના આપીને એના વિશ્વાસે જેમ બેસી જઈએ છીએ તેમ અહીં પણ ટીકીટ કઢાવી લ્યો ! શાસનની નાવમાં બેસી જાવ. આ ચાર શરણા શાસનની નાવ છે. તેમાં એટલી બધી તાકાત છે કે દ્રવ્ય અને ભાવ બેય
Jain Education International
૬૬
For Personal & Private Use Only
www.jainelibrary.org