SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જેનામાં તાકાત હોય તેનું. આ અરિહંતમાં બધી જ તાકાત છે. ગમે એવા પણ કર્મો દૂર થઈ જ જાય. બધુ ખૂટતું પુણ્ય પૂરી આપે... અરિહંતથી દુનિયાના બધા સુખો મળી આવે. સિદ્ધના શરણથી નડતા કર્મો દૂર થઈ જાય. સાધુના શરણથી જીવનની જે કાંઈ નબળાઈ, આશ્રવો હોય તે અટકવા માંડે સાધુ સંપૂર્ણ સંવરમાં છે માટે તેમના શરણથી પ્રવૃત્તિના પાપો જાય. ધર્મના શરણથી બધા કર્મની નિર્જરા થવા માંડે. શ્રેણિક મહારાજા મહાવીર ભગવાનના શરણે ગયાને સુખી થઈ ગયા. ભગવાનના સમાન બની જવાના! જેનું શરણું સમર્પણ થાય એના જેવા આપણે બની જઈએ. મોહરાજા બહુ બળવાન છે. આપણે જેમ જેમ ઊંચે ચડીએ એમ એમ એની છાવણીમાં ફડફડાટ વધે, સામે વળતા મોહના હુમલા આવે પણ આપણે શરણ લઈને જઈએ તો કાંઈ ભય નથી. શરણને છોડવાનું નહિ. દરિયામાં પાટીયું હાથમાં આવી ગયું છે.હવે એ છૂટવું ન જોઈએ, આપણને એ જ તારશે. દ્રવ્ય અને ભાવ, બેય અપાયથી રક્ષા થાય મુંબઈ જવા બસમાં બેઠા પછી રસ્તાની, ખાડા-ટેકરાની કોણ ચિંતા કરે ! ૨૦૦-૫૦૦ ટીકિટના આપીને એના વિશ્વાસે જેમ બેસી જઈએ છીએ તેમ અહીં પણ ટીકીટ કઢાવી લ્યો ! શાસનની નાવમાં બેસી જાવ. આ ચાર શરણા શાસનની નાવ છે. તેમાં એટલી બધી તાકાત છે કે દ્રવ્ય અને ભાવ બેય Jain Education International ૬૬ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy