________________
મૂર્છિત થઈ ગયો. આ સગરના ૬૦,૦૦૦ પુત્રૌને હવે કોણ પાછા લાવી શકે તેમ છે ? આ અશરણ સ્થિતિ તો વિચારો, કોણ બચાવી શેકે?
સમર્પણનું જીવનું સત્વ ન પણ હોય. સંસાર છૂટતો ન હોય તો વચલું Step શરણનું પકડવાનું. સગરના ૬૦,૦૦૦માંથી એકેય ન બચ્યા... સમ ખાવા પૂરતો ૧ પણ નહિ. સુલસાના ૩૨ પુત્રો એક જ બાણે વિંધાઈ મર્યા. આ સંસાર અસાર છે.
અહીં લાખ પણ એક દિ' રાખ થઈ જશે.
આ સંસારમાં કોનો આશરો ? વિચાર તો કરો ! કરોડોની સંપત્તિ હોય તો પણ આયુષ્ય પૂરૂ થતા એકેન્દ્રિય ને બેઈન્દ્રિયમાં જતા રહેવાનું, આ સંસારમાં રક્ષક આના સિવાય કોઈ છે જ નહિ. ઉઠતા, બેસતા, ચાલતા, જમતાં એક જ વિચારો કે આ ૪ સિવાય હું અશરણ છું. આ ચાર સિવાય બીજા સાથે કોઈ લેવા દેવા નથી. ભગવાનનું વચન એ જ મારું સર્વસ્વ.
આ ચારનું શરણ વારંવાર કરો આપત્તિ દૂરથી ભાગી જશે. ગ્રહો પણ હેરાન કરતા અટકી જાય. અપશુકન બધા શુકન થઈ જાય. બીજા ભવમાં દુર્ગતિથી આ ચાર જ અટકાવશે. આ ભવમાં પણ ભાવ સંસારથી પણ આ જ આપણું રક્ષણ કરશે.
હરિભદ્રસૂરિ મ. કેવા કષાયમાં ફસાયા હતા. પોતાના બે શિષ્યોને બૌદ્ધોએ ખલાશ કરી નાખ્યા. આ બે જ શિષ્યો હતા. બૌદ્ધોનો આ જુલમ એ સહન ન કરી શક્યા... અહીં,
Jain Education International
૬૨
For Personal & Private Use Only
www.jainelibrary.org